SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ શ્રાવકજીવન જવાબદારીઓનું એમને ભાન હોય છે. પરિણામે તેઓ વિવિધ પ્રકારના દુઃખોમાં ફસાઈ જાય છે. શારીરિક, માનસિક, સામાજિક, રાજકીય દુઃખોની બેડીઓમાં તેઓ બંધાઈ જાય છે. બાળકોના શિક્ષણની ચિંતા કરોઃ અનેક જવાબદારીઓની ચિંતાઓમાં બાળકોના શિક્ષણની ચિંતાની જવાબદારી મુખ્ય છે. તમારા ઘરમાં છોકરા-છોકરીઓ છે, તેમને ઉત્તમ શિક્ષણ મળવું જોઈએ. તેમને બે પ્રકારનું શિક્ષણ મળવું જોઈએ ? (૧) વ્યાવહારિક અને (૨) ધાર્મિક વ્યાવહારિક શિક્ષણ આજકાલ દરેક ગામની શાળામાં મળે છે. પ્રાયઃ દરેક ગામમાં સરકારે પ્રાથમિક શાળાઓ બનાવી છે. મોટા ગામોમાં હાઈસ્કૂલ ખૂલી છે. મોટાં શહેરોમાં કોલેજો પણ ખૂલી છે. તમે તમારાં બાળકોને એ શાળામહાશાળાઓમાં મોકલો છો. ત્યાં તેમને વ્યાવહારિક શિક્ષણ મળે છે. પરંતુ આજકાલ શિક્ષણ ખૂબ મોંઘું થઈ ગયું છે. સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે સ્કૂલવાળા ડોનેશન” (ધન) માગે છે. જે બાળકોનાં માતાપિતા ડોનેશન' - દાન નથી આપી શકતાં એમનાં બાળકો સ્કૂલમાં પ્રવેશ પામી શકતાં નથી. કેટલાક લોકો વ્યસનોમાં પૈસા ખર્ચે છે, પરંતુ બાળકોના શિક્ષણ માટે પૈસા નથી આપતા. શિક્ષણ પામ્યા વગરનાં બાળકો સડકો ઉપર આવારા બની રખડે છે. અથવા મજૂરી કરે છે, ગુનાખોરી આચરીને અપરાધી બને છે યા દુષ્ટોના હાથમાં વેચાઈ જાય છે. યાદ રાખો, તમે શ્રાવક-શ્રાવિકાઓ છો. અહીં પ્રવચન સાંભળવા ન આવનારા હારો શ્રાવક-શ્રાવિકાઓ આ નગરમાં છે. તેઓ પોતાની જાતને જૈન” માને છે. પરંતુ જૈન તરીકેની જવાબદારીનું તેમને ભાન છે ખરું? તેઓ પોતાનાં કર્તવ્યોને જાણે છે ? પોતાની જવાબદારીઓ સમજે છે ? એટલા માટે મોટા ભાગની જૈન પ્રજા પોતાનાં બાળકોને કોન્વેન્ટ સ્કૂલોમાં મોકલી રહી છે. મોટે ભાગે એ શાળાઓમાં ખ્રિસ્તી ધર્મના જ સંસ્કાર અને પ્રભાવ પડતા હોય છે. ઈસાઈ-ખ્રિસ્તી ધર્મમાં માંસાહારને ત્યાજ્ય માન્યો નથી, જ્યારે જૈનધર્મ શુદ્ધ નિરામિષ આહારી છે. અહિંસા એનો આદર્શ છે. આ રીતે જૈનધર્મથી વિપરીત એની ઘણી વાતો ખ્રિસ્તી ધર્મમાં છે. કોન્વેન્ટ સ્કૂલોમાં મોટે ભાગે ખ્રિસ્તી ધર્મના ફાધર' (સાધુ) અને નન્સ (સાધ્વી) જ ભણાવે છે. તેઓ ખ્રિસ્તી ધર્મનાં જ ગુણગાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004543
Book TitleShravaka Jivan Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy