________________
પ્રવચન ઃ ૫૩
પરમ કૃપાનિધિ, મહાન શ્રુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિ-વિરચિત 'ધર્મબંદુ’ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવક ધર્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તેમાં શ્રાવકની દિનચર્યા બતાવતાં કહેવામાં આવ્યું છે ઃ
તપુત્તરાર્ય-ચિન્તા ।।૭૮મા
ભોજન પછી શરી૨૨ક્ષા માટે સ્નાન-અભ્યગાદિ કરવાનું કહ્યું છે. તેના પછી આ વાત કહી છે ઃ જીવનમાં આવશ્યક બીજાં કાર્યોની ચિંતા કરવાની.
જીવનમાં આવશ્યક બીજાં કાર્યોની સૂચિ લાંબી છે. મહત્ત્વપૂર્ણ વાત છે આપણી જવાબદારીના ગૌરવપૂર્ણ નિર્વાહની. ગ્રંથકારે એ વાતનો સ્પષ્ટ નિર્દેશ કર્યો છે.
મનુષ્ય અન્ય પ્રાણીઓની જેમ માત્ર પેટ ભરવાથી પ્રજનન સુધીની ચિંતાઓ સુધી સીમિત નથી. તેની સાથે અનેક જવાબદારીઓ સંકળાયેલી છે. આ જવાબદારી બહુમુખી-વિવિધ પ્રકારની છે. એટલા માટે મનુષ્યની સમજદારી પણ વિશાળ હોવી જોઈએ. જેથી માણસ પોતે લાભાન્વિત થાય અને બીજાંના અભ્યુદયમાં સહયોગ આપતો રહે.
પશુ અને મનુષ્યમાં અંતર ઃ
:
પશુપક્ષીઓની જવાબદારી પોતાના સુધી જ સીમિત થઈ જાય છે. વધારેમાં વધારે તે પોતાના પરિવાર સુધી વિસ્તરે છે ઃ પેટથી પ્રજનન સુધી. તે પોતાની પરિધિમાં રહે છે. પ્રકૃતિના અનુશાસનમાં જીવે છે. તેઓમાં ચિંતન કરવાની કોઈ મૌલિક ક્ષમતા હોતી નથી. તેઓ તેમના સ્વભાવથી કામ કરે છે અને નિર્વાહ ચલાવે છે. તેઓ આહારની શોધમાં અને તેને ખાવામાં જ વધારે સમય ગાળે છે. બાકીનો સમય નિદ્રા અને મૈથુનક્રિયામાં ચાલ્યો જાય છે. એક બીજા પર આક્રમણ પણ કરે છે. આના સિવાય બીજી કોઈ વધારાની જવાબદારી તેમને ઉપાડવી પડતી નથી. ન તો એમને વિચાર કરવાનાં તંત્રનો વિકાસ કરવો પડે છે.
પરંતુ મનુષ્યની સ્થિતિ આના કરતાં ભિન્ન છે. તેની શરી૨૨ચના જ એવા પ્રકારની છે કે જેને કારણે તેને આહાર, વસ્ત્ર, ભવન, આચ્છાદન, પરિવાર વગેરે જરૂરિયાતો પૂરી કરવી પડે છે. તેનો નિર્વાહ સામાજિક-લોકવ્યવહારને સહારે થાય છે. પ્રગતિનો આધાર પણ એ માધ્યમ ૫૨ હોય છે.
પ્રથાઓ, પરિપાટીઓ, રીતિ-નીતિઓ કાનૂનવ્યવસ્થા વગેરેની પરંપરા પણ આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org