________________
૫
શ્રાવકજીવન
મારી માન્યતા પ્રમાણે તો આવાં પુસ્તકો સેક્સી ભાવનાઓને ઉત્તેજિત કરે છે. બાળકોના પ્રશ્નો સાંભળો :
તમારે ઘ૨ની ચિંતા કરવાની છે, પત્નીની ચિંતા કરવાની છે, એ રીતે બાળકોની પણ ચિંતા કરવાની છે. તેમને ઉન્માર્ગે જતાં રોકવા માટે અને સન્માર્ગે પ્રેરવા માટે એક ઉપાય જાણી લો - તમે બાળકોના પ્રશ્નો ટાળો નહીં.
જો બાળકોને આ વાતનો વિશ્વાસ હોય કે તમે ટીકા ન કરતાં તેમની વાત સાંભળશો. એમને ખાતરી કરાવો કે તેમની પ્રત્યેક વાત તમે શાંતિથી સાંભળશો !' તો બાળકો તમારી નજીક આવશે. તમને પ્રેમ કરશે. એ પ્રેમના માધ્યમથી તમે એમને ખોટું કાર્ય કરતાં રોકી શકશો.
કેરીટોસ કૉલેજ હોસ્પિટલના યુવા સેવાઓના વરિષ્ઠ પરામર્શ દાતા ડૉ. ચાર્લ્સ ટી. ક્લેગે કહ્યું છે : ‘ક્રોધ અને ગુસ્સા પર કાબૂ રાખીને તમારાં બાળકોના પ્રશ્નોને સમજવાની કોશિશ કરો. ગુસ્સાને કારણે વાતચીત બંધ ન હોવી જોઈએ.’
ડૉ. ડ્યૂક ઢંકને કહ્યું છે કે બાળકોના આત્મસન્માનને વધારવામાં તમે મદદ કરો. બાળકો વિશેષ રુચિમાં અને કળાઓમાં નિપુણતા પ્રાપ્ત કરે તે માટે તેને પ્રેરણા આપો. બાળકોને સમજાવો કે તે પોતાની નજરમાં જ ઊંચાં ઊઠે. તેઓ આત્મતૃપ્તિ પ્રાપ્ત કરે. વાસ્તવમાં સેક્સથી પ્રાપ્ત થતી ક્ષણિક તૃપ્તિથી તે અધિક પ્રમાણમાં પ્રભાવશાળી હોય છે. તમારાં બાળકોને ધાર્મિક દૈનિક ક્રિયાઓની સાથે સાથે સંગીત, રમત, નૃત્ય આદિ કલાઓ પ્રત્યે આકર્ષિત કરો.
ગોર્ડન કહે છે : ‘બીજાં માટે સારાં કાર્યો કરીને કોઈ પણ સંવેદનશીલ કિશોર પોતાના આત્મસન્માનને વધારી શકે છે.' આ ચિંતક આગળ જણાવે છે કે માતાપિતા વચ્ચે પરસ્પર પ્રેમ અને દેખભાળની ભાવના બાળકો માટે પ્રેરણાદાયી બની શકે છે.’
પુત્રીના પિતાને પ્રેરણા :
જો તમે પુત્રીના પિતા છો તો તમારી પુત્રીની ભાવનાઓનું ધ્યાન રાખો. પુત્રીની કિશોર-અવસ્થામાં જો તેનો પિતા તેને સ્નેહ નથી આપતો તો તે દુઃખી અને અપમાનિત થતી અનુભવ ક૨શે. એટલા માટે પ્રેમ પામવા માટે તેની સમાન ઉંમરના છોકરાઓ પ્રત્યે આકર્ષવાની પૂરી સંભાવના રહે છે.
:
૧૩ વર્ષની એક છોકરીનો પત્ર મળ્યો હતો. તે પત્રમાં લખ્યું હતું ઃ ‘જ્યારથી મારા પિતાએ મને ગળે લગાડીને પ્રેમ આપવાનું બંધ કર્યું ત્યારથી મારા મનમાં થયું કે જે પુસ્તક મારા પિતાએ મારા જન્મદિને ભેટ આપ્યું હતું તેને ફાડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org