________________
ભાગ ૩
પપ - છોકરાઓ પણ પોતાની સમાન ઉંમરના સાથીદારો વચ્ચે ધાક જમાવવા સેક્સનો પ્રયોગ કરી શકે છે. માત્ર ૧૪ વર્ષની ઉંમરમાં સંભોગનો પ્રથમ અનુભવ કરનાર પંકજ નામે છોકરો કહે છે : “મારી શાળાના છોકરાઓની એવી ધારણા હતી કે જો તમે છોકરીઓ સાથે સંબંધ (સંભોગ) કર્યો ન હોય, તો તમે કમજોર છો, નિપ્રભાવી અને નીરસ છો. પરંતુ સેક્સથી મને ન તો વધારે પ્રસિદ્ધિ મળી, ન તો મેં મારી જાતને અધિક સારી સમજી. મને લાગ્યું કે આ ચકકરમાં ફસાયા વગર જો મેં વાદ-ચર્ચાસભામાં મારું સ્થાન પ્રાપ્ત કર્યું હોત અથવા રમતગમતમાં આગળ પ્રગતિ કરી હોત, તો કદાચ મને વધુ પ્રસન્નતા થાત. કિશોર-કિશોરીઓને યૌનસંબંધથી રોકો :
તમે તમારા છોકરા-છોકરીઓને તેઓ યૌવનમાં પ્રવેશ ન કરે ત્યાં સુધી અપરિપક્વ સંભોગસંબંધ બાંધતા અટકાવો. અન્યથા તમારા પુત્ર-પુત્રીઓના શીલનો તો ભંગ થશે જ, એ સાથે તેમના શરીરનો પણ નાશ થશે - અનેક ગુપ્ત તેમજ પ્રગટ રોગોથી ઘેરાઈ જશે. જો તમારા હૈયે બાળકોનું હિત વસ્યું હોય તો આ વાત છે. સભામાંથીઃ અમે કહીએ છીએ, પરંતુ છોકરા-છોકરીઓ માનતાં નથી. મહારાજશ્રી તમે બાળકો સાથે ખુલાસાથી વાત નથી કરતા. એમની સાથે આ વિષય પર વાત કરતાં સંકોચ ન પામો. સંભવ છે કે તમને આ ચર્ચા અરુચિકર લાગે, પરંતુ સામાન્ય વાતચીત દરમિયાન અથવા બાળકોને પૂછેલા પ્રશ્નોના સમયે અથવા એવાં દ્રશ્યો જોવામાં આવતાં તમે બાળકો સામે આ પ્રસ્તુત કરો. બાળકોને પ્રેમથી સમજાવવાં પડશે કે લગ્ન પહેલાં સંભોગ કરવાથી કેટલું શારીરિક, માનસિક, પારિવારિક અને સામાજિક નુકસાન થાય છે. જેમ કે,
- તમારા શરીરમાં અનેક રોગ પેદા થશે. – તમારું મન અભ્યાસમાં ચોંટશે નહીં. – ઘરમાં તમે આવારા' કહેવાશો. તમારા પ્રત્યે આદરની ભાવના નહીં રહે.
- સમાજમાં તમે ‘બદ ચાલના ગણાશો. તમારી સાથે કોઈ લગ્ન કરવા તૈયાર નહીં થાય. ખરાબ ચાલની છોકરીઓનાં માતાપિતા કેટલાં ચિંતાગ્રસ્ત હોય છે, કેટલા હાઈપરટેન્શનમાં હોય છે તે જાણો છો? એવાં માતાપિતાને તમારે પૂછવું.
– કેટલાક પિતાઓ પોતાના છોકરા-છોકરીઓને સંભોગવિષયક પુસ્તકો આપે છે, પરંતુ આ ખોટું છે. સેક્સ સંબંધી ન તો પુસ્તક આપવાનું, ન તો અપેક્ષા રાખવાની છે કે આ પુસ્તક સેક્સ સંબંધી તેમની તમામ જિજ્ઞાસાઓ શાંત કરશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org