________________
૫૩
ભાગ ૩ સમાધાન તરફ પ્રગતિ કરો :
જેમ જેમ સમસ્યા-સમાધાન પ્રત્યે તમારો વિચારવિમર્શ વધતો જશે તેમ સમાધાનની દિશામાં વધારે પ્રગતિ થશે. એક સાવધાની રાખવી, તમારે તમારા સાથીની ભૂલો ઉપર વધારે જોર ન દેવું. તમારા મનપસંદ લક્ષ્યની સિદ્ધિ માટે વધારે જોર દેવું. સૌપ્રથમ વાત તો એ છે કે તમારી બોલવાની પદ્ધતિ બદલી નાખો.
હવે તમે મારી સાથે વાત કરતા નથી.' એવું કહેવાને બદલે આમ કહેવું વધારે સારું રહેશે કે આપણે આપણા માટે કેટલોક અલગ સમય કાઢીએ અથવા તમે ઇચ્છો તો આપણે માટે કેટલોક અલગ સમય કાઢીએ. અથવા તમે ઈચ્છો તો આપણે સાંજે કોઈ સારી જગાએ ફરવા જઈએ.”
– બીજી વાત એ છે કે બીજાંને નીચા દેખાડવામાં અથવા તેમની ટીકા કરવાથી દૂર રહેવું.
– સમસ્યાનો નિકાલ શોધવામાં કેટલીક સારી વાતોની ચર્ચાનો સમય પણ રાખો.
– એક પરિચિત પુરુષે કહ્યું: ‘જ્યારે હું ઓફિસેથી કોઈ કામથી પરેશાન થઈને ઘેર જાઉં છું ત્યારે મારી પત્ની જરૂર કરતાં પણ વધારે સહાનુભૂતિપૂર્ણ બને છે . અને એ બતાવવાની કદી કોશિશ સરખી કરતી નથી કે મારે શું કરવું જોઈએ? આ એક સફળ દંપતીની વાત છે. સફળ દંપતી બનવા માટે એકબીજાની વિશિષ્ટતાઓનો યા વિશેષ આદતોનો સ્વીકાર કરતાં શીખવું જોઈએ. પારિવારિક વ્યવહારોમાં, કર્તવ્યપાલનમાં આ વાતો ખૂબ મહત્ત્વની છે. સંતાનોની પણ ચિંતા કરો :
જો તમે બાળકોનાં માતાપિતા હો તો તમારે તમારાં બાળકોની પણ ચિંતા કરવી જોઈએ. ખાસ કરીને જેઓ કિશોર-કિશોરીઓ છે, સ્કૂલ-કોલેજમાં જાય છે, તેમનો ખ્યાલ રાખવો ખૂબ જરૂરી છે.
એક પિતાના હાથમાં પોતાની ૧૧ વર્ષની પુત્રીને હાથે લખાયેલો પત્ર આવી ગયો. એ પત્રને એ છોકરી પોતાની પ્રિય પત્રિકામાં મોકલવાની હતી. પત્રિકાના સ્વાથ્ય' કૉલમને સંબોધીને આ પત્ર લખાયો હતો કે હું અગિયાર વર્ષની છોકરી છું. છેલ્લા બે મહિનાથી મારા પુરુષમિત્ર સાથે મારો શારીરિક સંબંધ છે. શું હું ગર્ભવતી થઈ શકું ?”
આજના મોટા ભાગના યુવાનો અને કિશોરો યૌન સંબંધનો અનુભવ કરે છે. સમય પહેલાં શારીરિક સંબંધોથી માત્ર ગર્ભધારણ કરવાની જ સમસ્યા નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org