________________
૫૨
શ્રાવકજીવન
જેવા શબ્દપ્રયોગો કરવાનો અર્થ એ છે કે સચ્ચાઈ જાણ્યા સિવાય તમે વાત વધારી રહ્યા છો.
આવા શબ્દો બીજાને ભડકાવી શકે છે, ક્રોધિત કરી શકે છે અને સુધરતી વાતને બગાડી શકે છે.
(૫) છેવટની વાત ન કહો ઃ કારણ કે એવી વાત કરવાથી તેના ઉત્તર પણ કડક જ મળે છે. યાદ રાખો કે એવાં દંપતી ઓછાં જ હોય છે કે જે કદી સારી વાત કરતાં ન હોય કે સદાય ખોટી વાત કરતાં હોય !
(૬) રચનાત્મક પદ્ધતિએ વાત કરવી ઃ ‘તમે કામમાં મદદ નથી કરતા' એવી ફરિયાદ કરવાને બદલે કહો કે જો તમે થોડો ઘણો હાથ લંબાવો - મદદ કરો તો કેટલું સારું ?” આવા શબ્દપ્રયોગો કરીને જુઓ.
(૭) મંતવ્યોનાં વિશ્લેષણથી બચો તમારું મંતવ્ય ખોટું હોવાની પૂરી સંભાવના છે. એટલા માટે મંતવ્યોનું વિશ્લેષણ કરવું જ નહીં.
(૮) નકારાત્મક વાતોની ઉપેક્ષા કરો : દુઃખ યા ગુસ્સામાં તમારો સાથી સમસ્યાને વધારી-ચડાવીને જુએ છે. અથવા એનો દોષ બીજા પર ઢોળવા માગે છે. એ સમયે તેના ક્રોધના કારણ ઉપર ધ્યાન આપવું. દોષારોપણ સંબંધી વાતોની ઉપેક્ષા કરવી.
:
(૯) આપણા સાથીની ફરિયાદને સમજવાનો પ્રયાસ કરવો ; ફરિયાદનો સાર શું છે તેનું વિશ્લેષણ કરો. જેમ કે તમે કહ્યું : ‘હું સમજું છું કે તું મને કહી રહી છે કે તું હવે મારી બા સાથે વધારે સમય રહેવા માગતી નથી ?' તો તમને પત્નીનો સ્પષ્ટ ઉત્તર મળી જશે. કોઈ વાર તમારો સાથી અસ્પષ્ટ અને સામાન્ય વાત કહેતો હોય, તો તેને સ્પષ્ટ અને અસલી વાત કહેવાનું કહો.
(૧૦) સમજૂતીના આધાર શોધો ઃ જો તમને તમારા સાથીની ફરિયાદ સાચી લાગતી હોય, તો તેનો સ્વીકાર કરો : ‘હું માનું છું કે મારું મોડું ઘેર આવવું તને સારું લાગતું નથી. હવે હું સમયસર ઘેર આવવા પ્રયત્ન કરીશ.’
:
(૧૧) તમારાં મંતવ્યોને સ્પષ્ટ કરો જો તમારા સાથીએ તમારી વાતને ખોટી રીતે સમજી લીધી હોય તો તમારી વાત કોઈ બહાનું બતાવ્યા સિવાય બેધડક કહો.
(૧૨) ખેદ વ્યક્ત કરવામાં તમે ખચકાશો નહીં - તમારી કોઈ પણ વાતથી યા કામથી તમારા સાથીને દુઃખ થાય છે, તો તમે ખેદ વ્યક્ત કરવામાં સંકોચ ન અનુભવો. કારણ કે આ અભિવ્યક્તિ પણ પ્રેમનું જ એક સ્વરૂપ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org