________________
ભાગ ૩
પતિએ રોષમાં કહ્યું : “મને શા માટે પરેશાન કરે છે ?” પત્ની ગુસ્સામાં બોલી : ‘હું તો માત્ર તમારે માટે કહેતી હતી અને તમે તો ઝઘડવા તૈયાર થયા છો.’
૫૧
પત્ની પતિ પાસેથી તર્ક ઇચ્છતી ન હતી, પરંતુ પોતાની અનુભૂતિઓને તે પરોક્ષ તેમજ અસ્પષ્ટ શબ્દોમાં વ્યક્ત કરતી હતી. પત્ની સીધો પ્રશ્ન ક૨ીને આ સંઘર્ષને ટાળી શકતી હતી; જેમ કે ‘આજે રાત્રે શું કાર્યક્રમ છે ?' જો પતિ કહે કે મેં વિચાર્યું નથી.' તો પત્ની કંઈક માર્ગ કાઢત અને કહેત : ‘શું ઘરમાં રહેવાનો ઇરાદો છે કે બહાર જવું પસંદ કરશો ?' જો પતિ બહાર જવા ઇચ્છતો હોત તો તે પૂછત કે ‘કોઈનાં ઘેર જઈશું કે આપણે બંને એકલાં ફરવા જઈશું ?’ આ રીતે પત્ની પોતાની સદ્ભાવના વ્યક્ત કરી શકતી હતી, અને તેથી પરસ્પર ઝઘડો ન થાત. વાસ્તવમાં સ્નેહીથી, સ્વજનથી, મિત્રથી તર્કવિતર્ક ન કરવા જોઈએ.
ઝઘડાનાં મૂળ શોધો :
પરસ્પર વ્યવહાર નભાવવા માટે, વ્યવહારશુદ્વિ ટકાવી રાખવા માટે પરસ્પર સંવાદ-ચર્ચા દ્વારા સંબંધોને શાન્તિમય રાખવા જોઈએ; એ રીતે પરિવારમાં, બાળકોના પાલનપોષણમાં, ધન કમાવાના વિષયમાં, કામની વહેંચણીના વિષયમાં, અવકાશ મેળવવાની બાબતમાં, જાતીયતા અંગે ઝઘડા થાય છે. સમજૂતી મુશ્કેલ હોઈ શકે, પરંતુ અશક્ય નથી.
આનો સૌથી સારો ઉપાય એ છે કે ઝઘડાનાં મૂળને શોધી કાઢીને તેને દૂર કરવું. પરસ્પર વિવાદ કરવાને બદલે આ પદ્ધતિ ઠીક રહેશે. અનેક દંપતી ગુસ્સાને ભડકાવવાને બદલે નિયમિત રૂપે પરસ્પર સંવાદ દ્વારા પોતાના દાંપત્યજીવનને સુખમય બનાવે છે. કેટલાંક દંપતી સપ્તાહમાં એક વાર બહાર નીકળીને ક્યાંક શાંતિથી બેસીને પોતાના પ્રશ્નો પર વિચાર કરે છે. આ વિષયમાં કેટલાક ઉપાયો સાંભળી લો :
(૧) જે કોઈ વાત કરો તે સંક્ષેપમાં કરો ; એક-બે વાક્યોમાં જ તમારી વાત કહી દો. એમાં તર્ક ન જોઈએ અને ખટકતી વાત પણ ના જોઈએ.
(૨) જે કોઈ વાત કરો તે સ્પષ્ટ શબ્દોમાં કરો : ફરિયાદ ન કરો. સ્પષ્ટ કહો. ‘હું ઇચ્છું છું કે તું ધીરેથી બોલ; હું આરામ કરું ત્યારે મૌન રહે.’
(૩) અપમાન ન કરો, આરોપ ન ચઢાવો અને દોષારોપણથી દૂર રહો ઃ માન્યું કે સમસ્યા છે. જોઈએ કે આપણે કેવી રીતે હલ કરી શકીએ છીએ ?
(૪) ખટકે તેવાં વિશેષણોનો પ્રયોગ ન કરો : ‘આળસુ’, ‘સ્વાર્થી’, ‘જૂઠ્ઠો’, ‘ચોર’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org