SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ ૩ 13 (૪) અંતરાત્માનો અવાજ સાંભળવો ટેક્સાસ વિશ્વવિદ્યાલયમાં જનપ્રશાસન (પબ્લિક એડમિનિસ્ટ્રેશન) વિભાગનાં પ્રોફેસર વેસ્ટન એચ. એગાર કહે છે : ‘સહજજ્ઞાન અંતરાત્માનો અવાજ એવી અનુભૂતિ છે, જેની ઉપર આપણે નિશ્ચિત જ્ઞાન થયા સિવાય પણ વિશ્વાસ કરીએ છીએ. છતાં પણ એગાર કેવળ સહજજ્ઞાનના આધારે કરેલા નિર્ણય પ્રત્યે સચેત કરે છે. ‘સહજજ્ઞાન અને કલ્પના બંને ભિન્ન છે. કલ્પનાને સહજજ્ઞાન માની લેવાની ભૂલ ન કરવી.' પાંચમો ઉપાય છે ઃ (૫) નાનાં નાનાં ડગલાં ભરવાં જો કોઈ નિર્ણય લાગૂ પાડવો હોય, તો કેટલાક તબક્કાઓમાં લાગૂ કરવો. એવું કરવાથી જો તમને વચ્ચેથી જ સૂચના મળે કે જેથી તમને તમારા નિર્ણય પર સંદેહ થાય, તો તમે ઓછામાં ઓછી હાનિથી તમારો નિર્ણય બદલી શકો. ૪૯ એક દંપતીએ દેશના એક ભાગમાંથી પોતાનું ઘર, પોતાની દુકાન વેચીને બીજા નાનાં શહેરમાં નવો કારોબાર શરૂ કર્યો. જો કે તેમણે સોદો પૂર્ણ કર્યો હતો, પરંતુ નિર્ણયમાં પરિવર્તન કર્યું. એમાં એમને વિચાર કરવાનો સમય મળી ગયો કે આ ફેરફાર સાથે જ તેમની પસંદગીનો છે કે નહીં? ફ્લેટ યા ફાર્મહાઉસ - આ બેમાંથી કયું પસંદ કરવું છે તે વિચારવાનો સમય પણ મળી ગયો. નિર્ણય બદલી દેવો એનો અર્થ એ નથી કે તમારામાં દૃઢતાનો અભાવ છે. એનો અર્થ એ છે કે તમારામાં સારી સમજ છે. તમારા નિર્ણયોને ભવિષ્યમાં થનાર લાભ અને ગેરલાભના ધોરણે વિચારો. છઠ્ઠો ઉપાય છે : (૬) સમય-સીમા નિર્ધારિત કરવાનો નિર્ણય લેવા માટે તમે જો સમયમર્યાદા નક્કી નહીં કરો, તો સંભવ છે કે તમે નિર્ણય ટાળતા જશો. જો કે કોઈ કોઈ વા૨ વચગાળાના નિર્ણયોથી પણ કામ ચલાવવું પડતું હોય છે. વ્યવહાર ચાલવો જોઈએ. કોઈ વાર બીજાંના નિર્ણયને પણ માન્ય કરવો પડે છે, આપણી ઇચ્છા ન હોય તો પણ ! ન નિર્ણયોમાં વિવાદ પડવાથી પરિવારમાં યા સમાજમાં કોઈ વાર તમારો પોતાનો નિર્ણય બીજા માન્ય નથી કરતા. બીજાની સાથે વિચારવિનિમય કરીને નિર્ણય કરવો પડે છે, એ સમયે તમારે તમારું દૃષ્ટિબિંદુ બીજાંને સમજાવવું પડે છે. આવા સમયે એક ભયસ્થાન આવે છે. તમારું જ સ્વજન-પરિજન તમારી સામે તર્ક-વિવાદમાં ઊતરી જાય. કોઈ વાર પતિપત્ની, કોઈ વાર પિતાપુત્ર - સમાન વિચારતાં નથી હોતાં. વિચારોની ભિન્નતા તો રહેવાની જ. એથી કોઈક વાર કલહ પણ ઉત્પન્ન થાય છે. નાની નાની વાતો ૫૨ કલહ ઊભો થઈ જાય છે. Jain education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004543
Book TitleShravaka Jivan Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy