________________
ભાગ ૩
૪૫
પિરેદાએ શેલનોવને કહ્યું : ‘હું અહીં મારી પાછળ એક આદર્શ જ નહીં, પરંતુ માનવસ્વાસ્થ્ય માટે એક ઉપયોગી જ્ઞાન પણ મૂકતો જઈશ.'
આ દિવસોમાં તેને મળવા ઘણા માણસો આવે છે. પિરેદા જણાવે છે ઃ ‘હું હજી પણ આ સ્થાનને એક આશ્રમ માનું છું. એવો આશ્રમ કે જેમાં હંમેશાં મિત્રોનું સ્વાગત કરવામાં મને હર્ષ થાય છે.'
આ ઘટનાને લખનાર શેલનોવ અંતમાં કહે છે કે જ્યારે હું અહીંથી નીકળવાની તૈયારી કરતો હતો ત્યારે પિરેદાએ કહ્યું : ‘જ્યારે હું શારીરિક દૃષ્ટિએ અશક્ત માણસ તરીકે પહેલી વાર અહીં આવ્યો ત્યારે મને મારા મોતની ઘડી નજીક જણાતી હતી; પરંતુ તરત જ મારાં મનમાં વિશ્વાસ પ્રકટ્યો કે હું જીવિત રહીશ. આજે હું ચૌદ વર્ષનો છું અને મૃત્યુ મારાથી આજે પણ ઘણું દૂર છે.’
:
ફરી ગંભીરતાપૂર્વક પોતાની વાત આગળ વધારતાં પિરેદા બોલ્યાઃ “એક શાન્ત અને શ્રમપૂર્ણ જીવન રોગના ઉપચાર માટે એક શક્તિશાળી ઔષધિ છે.’
શેલનોવ કહે છે : પિ૨ેદાની પોતાના મૃત્યુ પરના વિજયની આ વાત મારા વિચારમાં એ હતી કે આ વિજય એને ધીરે ધીરે અને સ્વતઃ મળ્યો હતો. પરંતુ પિરેદા આ વાતને સારી રીતે આમ વ્યક્ત કરશે ‘એ વિજય મને પ્રાકૃતિક રૂપમાં મળ્યો છે.’
ઉપસંહાર :
ગ્રંથકારે શરી૨૨ક્ષા કરવાની વાત કહી છે એટલા માટે આ ઘટના મેં તમને સંભળાવી. ‘શરીરરક્ષા'ના કેટલાક ઉપાય ટીકાકારે બતાવ્યા છે.
‘સ્નાનાદિ’ કહીને ‘આદિ’ શબ્દથી બીજા ઉપાયો પણ કરવાના બતાવ્યા છે. બીજા ઉપાયો તો તમને પહેલેથી જ બતાવી દીધા છે. ધર્મપુરુષાર્થ કરનારાઓએ શરી૨૨ક્ષા તો કરવી જ પડશે.
જ
મોટા ભાગના લોકો શરીરની ચિંતા કરતા નથી. ઉપવાસ આદિ તપ કરે છે; પરંતુ ઉપવાસનું પારણું કરતાં નથી આવડતું. પારણામાં ખૂબ ખાય-પીએ છે, તેથી સ્વાસ્થ્ય બગડે છે. પેટ બગડતાં બગડતાં એવું થઈ જાય છે કે તેમાં પાણી પણ ટકતું નથી.
તમારે ગૃહસ્થોએ તપશ્ચર્યા પણ એટલી જ કરવી જોઈએ કે તમારું સ્વાસ્થ્ય બગડે નહીં. સ્વાસ્થ્ય સારું હશે તો તમે સ્વાધ્યાય-ધ્યાનમાં પોતાના મનને સ્થિર કરી શકશો. સ્વાસ્થ્ય સારું નહીં હોય તો મન સ્વાધ્યાય-ધ્યાનમાં સ્થિર નહીં રહે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org