SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ શ્રાવકજીવન હૃદયરોગના હુમલાનો ભય પણ મનમાંથી નીકળવા લાગ્યો. હવે તેણે શાન્તિની સ્વાભાવિક અવસ્થા પ્રાપ્ત કરી લીધી હતી. ધીરે ધીરે પિ૨ેદાએ પર્વતીય બગીચામાં શાકભાજી અને જડીબુટ્ટીઓ ઉગાડવાની શરૂઆત કરી દીધી હતી. આ સિવાય એની પાસે દ્રાક્ષનું ખેતર અને ફળની વાડી પણ હતાં. : તેણે શેલનોવને કહ્યું : ‘જ્યારે મેં મારા બાગનું પ્રથમ ફળ ચાખ્યું તો હું આનંદથી ઊછળી પડ્યો હતો. મેં મારી જાતને કહ્યું કે મેં પોતાને બચાવી લીધો છે. વાસ્તવમાં મને આટલો સમય જીવવાની આશા ન હતી.' તેણે કહ્યું : ‘નિરાશાથી આગળ વધીને સ્વાસ્થ્ય માટે બીજી કોઈ ભયંકર વસ્તુ નથી.' પિરેદાએ જંગલી છોડવાઓની શોધ શરૂ કરી દીધી. જેને સામાન્ય રીતે ઘાસપાન કહેવામાં આવે છે. માનવોના ભિન્નભિન્ન રોગોમાં ઉપચાર તરીકે આ છોડવાઓની ઉપયોગિતા વિશે શાસ્ત્રીઓને પૂરી જાણકારી હોય છે. પિરેદા મોડી રાત સુધી સંદર્ભગ્રંથો વાંચતો અને એવા છોડને એકઠા કરવા માટે જંગલમાં રખડતો. એને એના પ્રયાસમાં ડઝન છોડ મળ્યા; એમાં એક સામાન્ય પહાડી જડી હતી; જે હૃદયની અનિયમિત ધડકનને સામાન્ય કરવામાં વપરાતી હતી. પિરેદાએ છોડવાઓ દ્વારા ઉપચાર માટે પોતાની કેબિનમાં એક નાનકડી પ્રયોગશાળા બનાવી. તેનું અનુમાન હતું કે છોડવાઓ દ્વારા સૌથી ય વધારે માનવીય રોગોનો ઉપચાર કરી શકાય છે. આજ સુધીમાં તે લગભગ એક હજાર લોકોને પોતાની ઔષધીઓની ભેટ આપી ચૂક્યો છે. જેથી અનેક લોકોને લાભ થયો છે. નૂઓરો સાનફ્રાંસિસ્કો હોસ્પિટલના હૃદયરોગ વિભાગના મુખ્ય ચિકિત્સક “માર્કો પિતાલિસ’નું કહેવું છે કે પ્રકૃતિની ગોદમાં પાછા ફરી જવાનો પિરેદાનો નિર્ણય ચોક્કસ જ ખૂબ પ્રભાવશાળી સિદ્ધ થયો છે.' મારીસા કુઆલ્બુ’નો મત છે કે “પિરેદાના શાકાહારી ભોજને અને તેના શાન્તબહા૨ના જીવને એના રોગનિવારણમાં આશ્ચર્યજનક ભૂમિકા અદા કરી છે.’ આજે પિરેદાને સા૨-ડી-નિયાની જડીબુટ્ટીઓનો અને ઔષધીય છોડવાઓનો વિશેષજ્ઞ માનવામાં આવે છે. તેણે સ્થાનિક સ્કૂલોમાં આ વિષયનું જ્ઞાન આપ્યું અને એક પાઠ્યક્રમ દ્વારા પર્યટન-ગાઇડોને પણ આ છોડવાઓની જાણકારી આપી. પોતાનો જ્ઞાનભંડાર તે પોતાના સૌથી મોટા પુત્ર માઇકલને અને તેની પત્ની લૂસિયાનાને સોંપી રહ્યો છે. તેણે પર્વતીય ક્ષેત્રમાં એક પારિવારિક ફાર્મ સ્થાપ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004543
Book TitleShravaka Jivan Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy