SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ ભાગ ૩ ફળની વાડી પણ કરી હતી. તેણે શેલનોવને કહ્યું: “જ્યારે હું અહીંયાં ૧૯૭૪માં રહેવા આવ્યો હતો ત્યારે આ ભૂમિ ખાલી પડી હતી. અહીં આવવાનો કોઈ માર્ગ પણ ન હતો. પ્રારંભમાં હું એક વૃક્ષમાં શરણસ્થળ બનાવીને સૂતો હતો. ગમે તેમ હોય પરંતુ આ પર્વતીય ક્ષેત્રે મારે માટે એક હોસ્પિટલનું કામ કર્યું છે. અહીંની નીરવતા મારે માટે શ્રેષ્ઠ ઔષધ સાબિત થઈ છે.' બપોરના ભોજનમાં તેના બાગની શાકભાજી અને મધ મેળવેલો સલાડ બંને જણાએ ખાધો. પિરદા પોતે શરાબ પીતો ન હતો. તે મદ્યપાનથી દૂર રહેતો અને જાણીજોઈને ખૂબ બોલતો અને પગપાળા ફરતો. પિરદામાં જીવનભર પ્રકૃતિનું અધ્યયન કરતા રહેવાનો ઉત્સાહ હતો. બચપણથી જ તે કીડી-મંકોડાઓ વિશે વયસ્કો માટે લખેલાં પુસ્તકો વાંચતો હતો. પિરેદા. ઊંચી ઊંચી પહાડીઓ ઉપર બકરાની જેમ ચડી જતો હતો. કિશોર વયમાં હતો ત્યારે ટેલિસ્કોપ લઈને આકાશના તારાઓનું અધ્યયન કરવા માટે ઘણી રાતો ઘરમાંથી બહાર રહેતો હતો. બીજા વિશ્વયુદ્ધમાં તે આફ્રિકામાં પકડાયો અને અમેરિકામાં તેને બે વર્ષ સુધી નજરકેદ કરી દેવામાં આવ્યો. યુદ્ધ પૂર્ણ થયા પછી તે ‘નૂઓરો' પાછો ફર્યો. તેણે ૧૯૪૭માં લગ્ન કર્યું. તેને પાંચ પુત્રો છે. તેણે નૂઓરોના પર્યટન કાર્યાલયમાં નોકરી લીધી. ત્યાં તે ૧૯૭૪ સુધી કાર્ય કરતો રહ્યો. પોતાના ફાજલ સમયમાં તે સારડી-નિયાની ગુફાઓમાં ઘૂમતો રહ્યો અને આમ તે ગુફા-વિજ્ઞાનનો નિષ્ણાત બની ગયો. તેણે એક સ્વૈચ્છિક સંગઠન ઊભું કર્યું. જે એની ભૂમિ ઉપરની કઠોર, સાહસિક યાત્રાઓ માટે સંસારભરમાં પ્રસિદ્ધ છે. તે ૧૯૫૬માં આ સંગઠનનો અધ્યક્ષ બન્યો. એ સંગઠન-મંડળે જળસ્ત્રોતોની એવી સામગ્રીની શોધ કરી કે ભૂસ્તરશાસ્ત્ર, પુરાજીવવિજ્ઞાન, પુરાતત્ત્વ વિજ્ઞાન તથા અન્ય ક્ષેત્રો માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. ૧૯૭૪માં એક દિવસે બપોર પછી જ્યારે ૬૦ વર્ષનો પિરેદા સંગ્રહાલયમાં પ્રદર્શન માટે ગુફાઓના અવશેષ તૈયાર કરી રહ્યો હતો ત્યારે અચાનક તેના ખભા અને છાતીમાં જોરથી દર્દ શરૂ થયું. તેને તે સમય તેના મૃત્યુનો આભાસ થયો. તેનો ચહેરો શ્યામ પડી ગયો. આ જોઈને તેનો સહાયક ગભરાઈ ગયો અને તેને તરત જ હૉસ્પિટલમાં લઈ ગયો. પિરેદાને ચાર દિવસ સુધી ઇન્સેન્ટિવ કેર યુનિટ'માં રાખવામાં આવ્યો. આ હુમલાથી તેના દયને પુષ્કળ નુકસાન થયું હતું. ડૉકટરે એને ચેતવણી આપી કે તેણે તેની ગતિવિધિઓ સીમિત કરી દેવી અને પોતાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004543
Book TitleShravaka Jivan Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy