________________
૪૦
શ્રાવકજીવન
કસ્તુરીમાં મિશ્રણ, અંબર બનાવટી-નકલી, કેસર પણ નકલી, ભસ્મો વિધિવત્ બનાવવામાં આવતી નથી. સાચું શિલાજિત મળવું મુશ્કેલ છે. જાયફળ, જાવંત્રી, લવિંગ, ઇલાયચી વગેરે બજારમાં મોંઘાં મળે છે. દવાઓમાં ભારે ઠગવિદ્યા પ્રવેશી ગઈ છે.
જો કે આયુર્વેદમાં હજારો સાદા-સરળ પ્રયોગો છે. ચરક, ભાવપ્રકાશ, શારંગધર ઇત્યાદિ ગ્રંથોમાં અનેક સરળ ઔષધી બતાવવામાં આવી છે. જેમ કે
—
અજીર્ણ હોય તો સૂંઠ અને ગોળ ખાવાં જોઈએ. તાવ આવ્યો હોય તો ઉપવાસ કરવો જોઈએ. મંદાગ્નિ હોય તો પીપરનો ઉપયોગ કરવો.
-
અપચો હોય તો અજમો લેવો જોઈએ, વગેરે.
આમ તો આપણા દેશમાં ૪૦-૫૦ વર્ષથી ‘નિસર્ગોપચાર’ પણ થાય છે. આ ચિકિત્સા પદ્ધતિમાં પાણી અને માટીના પ્રયોગથી સ્વાસ્થ્ય મેળવી શકાય છે. પરંતુ આ પદ્ધતિમાં ‘ઉપવાસ’નું વધારે મહત્ત્વ છે. ખાવાપીવામાં કડક નિયંત્રણ હોય છે. કોઈ દવા નહીં, કોઈ ઇન્જેક્શન નહીં. આમ તો આ ચિકિત્સા સારી છે, પરંતુ આત્મસંયમ, ઇન્દ્રિયસંયમ ખૂબ અપેક્ષિત હોય છે. આજકાલ આનાં પણ કેન્દ્રો ખૂલતાં જાય છે.
પ્રાકૃતિક ઉપચાર અને સ્વાસ્થ્ય ઃ
એક સત્ય ઘટના ઃ હમણાં મેં સાનફ્રાંસિસ્કોમાં રહેતા પત્રકાર અને લેખક જયાં પોટર શેલનોવ' ની લખેલી એક સત્ય ઘટના વાંચી. તમને એ ઘટના સંભળાવું છું.
શેલનોવ તદ્દન નિર્જન રાજમાર્ગ ઉપરથી જઈ રહ્યા હતા. આગળ ધુમ્મસમાં વિષમ-ઊંચીનીચી પહાડી નજરે પડતી હતી. શેલનોવ એક એવા માર્ગ પર વળ્યા કે જે તેજ ઢાળવાળા પહાડની તરાઈમાંથી ઘૂમતો નીકળી જતો હતો. આગળ એક સંકીર્ણ, કાચા માર્ગ પર એકદમ તેમની ગતિ ધીમી પડી ગઈ, અને આ રીતે તેઓ એક પર્વતીય વિશ્રામ સ્થાને પહોંચી ગયા. આ જોઈને શેલનોવને આશ્ચર્ય થયું કે અહીં રહીને એક હૃદયના દરદીએ કેવી રીતે પોતાના રોગનો ઉપચાર કર્યો અને ફરી સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કર્યું.
જે વ્યક્તિ સાથે શેલનોવની મુલાકાત થઈ તે દુર્બળ છતાં સુંદર હતો. તેની ચામડીનો રંગ તડકામાં કંઈક ઘેરો થઈ ગયો હતો. તે હતો ૭૪ વર્ષનો બ્રૂનો પિરેદા.’ તે એક સામાન્ય બે માળની કેબીનમાં રહેતો હતો. આમ તો પિરેદા કોઈ જાગીરદાર જેવો લાગતો હતો. તેણે જાતે જ ત્યાં બાગ બનાવ્યો હતો અને એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org