SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ શ્રાવકજીવન જીવી શકો. વિશેષતયા ઢળતી અવસ્થામાં થનારા તમામ વિકારોને વ્યાયામ ઓછા કરે છે. એટલે કે થવા દેતો નથી. આજકાલ લાખો માણસો એવો અનુભવ કરે છે કે ડૉક્ટર પાસે ખર્ચ કરવું અથવા ડૉક્ટરોના હાથમાં પોતાના સ્વાસ્થ્યને સોંપવું એના કરતાં સારું એ છે કે પોતાની જાત પર નિર્ભર રહેવું. પરંતુ તમને જ્ઞાન હોવું જોઈએ કે શરીરની તંદુરસ્તી શું છે અને એ કેવી રીતે મેળવી શકાય ? એ જરૂરી નથી કે તમે વ્યાયામશાળામાં કલાકો સુધી કસરત કરો, માઈલો સુધી જોગિંગ કરો યા વ્યાયામશાળામાં કલાકો સુધી સાઇકલનાં પેન્ડલ મારો. તમે માત્ર ૨૦ થી ૩૦ મિનિટ સુધી વ્યાયામ કરો. સદીઓથી આ વાત માન્ય છે કે વ્યાયામથી શરીરને ફાયદો થાય છે. ઈ. સ. પૂ. ૬૦૦ વર્ષ પહેલાં એક ભારતીય વૈદ્ય વ્યાયામથી મધુમેહનો ઇલાજ કરતો હતો. આ દિવસોમાં કેટલીય બીમારીઓનો ઇલાજ વ્યાયામથી શક્ય છે. એના ઉપર કાબૂ મેળવી શકાય છે. જેમ કે હ્દયરોગ, ઉચ્ચ રક્તચાપ (B.P.), ગાંઠિયારોગ કે જેમાં હાડકાંમાં કેલ્શિયમની ઊણપ થઈ જાય અને હાડકાં સહજ રીતે તૂટી જાય (ઓસ્ટિયોપોરોસિસ), અવસાદ, રક્તસંચારની હેરાનગતિ, સ્તન કેન્સર અને સર્વસાધારણ બીમારી ભારે-મોટું શરી૨ ! એક તાજેતરની શોધનું વિવરણ સાંભળો. વ્યાયામથી અનેક લાભ : વ્યાયામ હૃદયને મજબૂત પંપ બનાવી શકે છે. જેથી વધારે શ્રમ કરવાથી પણ તેની ધડકનો સામાન્ય ગતિની રહે છે. કારણ કે પ્રત્યેક સંકોચનમાં હૃદય વધારે લોહી ધકેલી શકે છે. – વ્યાયામથી ‘ટ્રાઇગ્લિસરાઇડ' નામનું ઓછા ઘનત્વવાળું ‘કોલેસ્ટેરોલ’ કાં તો ઓછું થઈ જાય છે અથવા તો તેનો આંક બિલકુલ ઓછો થઈ જાય છે. પરંતુ સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે ધમનીઓને ક્ષતિ પહોંચાડનાર કોલેસ્ટેરોલને દૂર કરનાર એચ. ડી. એલ. કોલેસ્ટેરોલની માત્રા વધારે છે. હાર્વર્ડ વિશ્વવિદ્યાલય, કેમ્બ્રિજ માસાચુસેટ્સના ડૉ. રાલ્ફ એસ. પાફ્રન બાર્જન જુનિયરે ૧૭,૦૦૦ છાત્રોનું અધ્યયન કરીને શોધ્યું કે પ્રત્યેક સપ્તાહમાં ૨૦૦૦ કેલરી ખર્ચ ક૨વાથી હ્દયરોગથી મરવાનો ભય એક તૃતીયાંશ ઓછો થઈ જાય છે અને આયુષ્ય પણ વધી જાય છે. ---- વ્યાયામથી શરીરની ‘ઇન્સ્યૂલિન’ સંવેદના વધી જાય છે. આ હાર્મોન લોહીમાં સાકરનું પ્રમાણ વધારે હોય તો ઘટાડે છે. વધારે વજન ધરાવતાં, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004543
Book TitleShravaka Jivan Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy