________________
પ્રવચન : ૫૧.
પરમ કૃપાનિધિ, મહાન મૃતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી સ્વરચિત “ધર્મબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવકધર્મ બતાવે છે. શ્રાવકધર્મની દિનચયનું વર્ણન કરતાં તેમણે ભોજન પછી “પચ્ચકખાણ કરવાનું કહ્યું છે, એટલા માટે કાલે તમને પચ્ચકખાણ વિશે કેટલીક વાતો સમજાવી હતી. તેના પછી તેમણે લખ્યું
રથિત પ્રયત્નઃ T૭૭ી શરીરસ્વાથ્યનો આદરપૂર્વક ખ્યાલ રાખવો જોઈએ. શરીરના સ્વાથ્યની ઉપેક્ષા કરવી ન જોઈએ. કારણ કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ - આ ચાર પુરુષાથી શરીર ઉપર નિર્ભર છે. “ધર્મબિંદુ ગ્રંથના ટીકાકાર આચાર્યદવ કહે છે :
धर्मार्थकाममोक्षाणां शरीरं कारणं यतः ।
ततो यत्नेन तद्रक्ष्यं, यथोक्तैरनुवर्तनैः ॥ - તમારે ધર્મ આચરવો છે? શરીરસ્વાચ્ય ટકાવી રાખો. - તમારે ધનપ્રાપ્તિ કરવી છે ? શરીરસ્વાથ્યનો ખ્યાલ રાખો. – તમારે વૈષયિક સુખ ભોગવવાનાં છે? શરીરસ્વાથ્ય જરૂરી છે.
- તમારે મોક્ષ મેળવવો છે? શરીરસ્વાચ્ય પ્રથમ જોઈએ. શારીરિક સ્વાથ્ય માટે :
ગ્રંથકારે તો એટલું જ કહ્યું : 'શરીસ્થિત પ્રયત્ન | ટીકાકાર આચાર્યું આનું તાત્પર્ય બતાવતાં કહ્યું : ઔચિત્યપુર્વક સ્નાન કરો. માલિશ કરો. એટલે કે તેલથી શરીરનું મર્દન કરો. ઉચિત વસ્ત્રો ધારણ કરો. યોગ્ય પરિશ્રમ કરો. યત્નનો અર્થ કર્યો છે આદર ! એટલે કે સ્નાનાદિ આદરપૂર્વક કરવાં, તિરસ્કારપૂર્વક નથી કરવાનાં. શરીર જ શ્રેષ્ઠ સાધન છે. સાધનના સ્વરૂપમાં તમારે શરીરનું સ્વાથ્ય ટકાવી રાખવાનું છે.
તમે ગૃહસ્થ છો. તમારે ચારે પુરુષાર્થની સમતુલા જાળવી રાખવાની છે. તમે તમારું લક્ષ્ય નિર્ધારિત કરો. એ લક્ષ્ય સુધી પહોંચવા માટે સાધનના રૂપમાં શરીરને સ્વસ્થ, તંદુરસ્ત, બળવાન બનાવવાનો પ્રયત્ન કરો. સ્વાથ્ય માટે વ્યાયામ :
શરીરના સ્વાથ્ય માટે એવા અનેક વ્યાયામ છે કે જે કરવાથી તમે સારી જિંદગી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org