SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ ૩ ૩૩ साधुः श्रावको वा प्रत्याख्यान-सूत्रार्थं सम्यगवबुध्यमानो वा स्वयं प्रतिपन्नविवक्षित-प्रत्याख्यानः प्रशस्तचारित्रपवित्रगात्रस्य गुरोः समीपे सूत्रोक्त-विधिना कृतिकर्मादि-विनयं विधाय, रागद्वेषादि-विकथादिरहितः सर्वत्रोपयुक्तः प्रांजलिपुटो लघुतर शब्देन गुरुवचनमुच्चरन् (अनुवदन्) यदा प्रत्याख्यानं प्रतिपद्यते तदा स्पृष्टं भवति ।। આનો અર્થ સાંભળી લોઃ સાધુ હોય યા શ્રાવક, તેને પચ્ચકખાણ સૂત્રનો સમ્યગૂ બોધ હોવો જોઈએ. અથવા જે પચ્ચકખાણ એને કરવાનું છે, એની ધારણા એણે મનમાં કરી લીધી હોવી જોઈએ. ચારિત્રવંત ગુરુદેવની પાસે જઈને સૂત્રોક્ત વિધિથી વંદનાદિ કરવાં જોઈએ. રાગદ્વેષ અને વિકથાથી મુક્ત બનીને, અપ્રમત્ત થઈને. મસ્તક ઉપર અંજલિ રચીને ગુરુદેવ પાસેથી પચ્ચક્ખાણસૂત્ર સાંભળવું જોઈએ, અને ખૂબ ધીમા સ્વરે એ સૂત્ર બોલવું જોઈએ. આ રીતે પચ્ચકખાણ લેવું એને પૃષ્ટ કહેવામાં આવે છે. સિયું કહેવાય છે. -- બીજી વાત છે પચ્ચકખાણનું પાલન કરવાની. પચ્ચકખાણનું જાગ્રત ઉપયોગથી પાલન કરવાનું હોય છે. રક્ષા કરવાની હોય છે. – ત્રીજી વાત છે પચ્ચકખાણને શોભાવવાની. વિશેષ કરીને અમારે સાધુસાધ્વીઓ માટે. અમારા સાધુજીવનના નિયમાનુસાર જ્યારે ભિક્ષા અમારા ઉપાશ્રયમાં આવી જાય ત્યારે ભિક્ષા લાવનાર સાધુ તમામ પાત્રો ગુરુદેવની સામે મૂકી દે છે. આચાર્ય, ઉપાધ્યાય, ગ્લાન, બાળ સાધુને ભિક્ષા આપ્યા પછી જે ભિક્ષા બાકી રહે છે એ ભિક્ષા સાધુઓને આપે છે. એને સાધુ રાગદ્વેષ વગર ગ્રહણ કરે છે. ગુરુની અધીનતાથી સાધુનું પચ્ચક્ખાણ શોભાયમાન થાય છે. ગૃહસ્થજીવનમાં પણ જો વિવેકથી ભોજન કરવામાં આવે, તો પચ્ચક્ખાણની શોભા વધે છે. – ચોથી વાત છે પચ્ચક્ખાણને તરાવવાની. પચ્ચકખાણનો સમય પૂરો થયા છતાં જે માણસ કેટલોક સમય જવા દે છે, તે પચ્ચકખાણને તરાવે છે. જેમ કે નવકારશીનું પચ્ચકખાણ સવારે આઠ વાગે આવે છે, પરંતુ જે ચાર-પાંચ મિનિટ પછી જ પચ્ચકખાણ પારે છે, તે પચ્ચખાણને તરાવે છે. આમ તો નવકારશીનું પચ્ચકખાણ સ્વયં રાત્રિના ચોવિહાર'ના પચ્ચકખાણને તરાવવાના રૂપમાં જ હોય છે, પરંતુ તમને સમજાવવા માટે ઉદાહરણના રૂપમાં કહ્યું છે. - પાંચમી વાત છે પચ્ચકખાણના કીર્તનની. એટલે કે ભોજનની શરૂઆતમાં બોલવું જોઈએ કે ‘મેં જેપચ્ચખાણ કર્યું હતું તે પૂર્ણ થયું છે, હવે હું ભોજન કરીશ.” - છઠ્ઠી વાત છે પચ્ચકખાણની આરાધના, ઉપર કહેલા પાંચ પ્રકારથી મેં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004543
Book TitleShravaka Jivan Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy