SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ શ્રાવકજીવન - પ્રથમ વાત છે અનાભોગની. ઉપવાસમાં પચ્ચકખાણની એકદમ વિસ્મૃતિ થઈ ગઈ અને તમે મુખમાં કંઈક નાખી દીધું. - બીજી વાત છે સહસાકારની. અતિ પ્રવૃત્તિમાં વ્યસ્ત હો અને મોઢામાં કંઈક નાખી દીધું. – ત્રીજી વાત છે મહત્તર કાર્યની. ઉપવાસનું પચ્ચકખાણ કરી દીધું હોય અને પછી સંઘ-ધર્મશાસનનું મહત્તર કાર્ય આવી પડ્યું. તમારા સિવાય બીજું કોઈ એ કાર્ય કરી શકે તેમ ન હોય, તો ગુરુદેવની (જ્ઞાની, ઉત્સર્ગ-અપવાદના જ્ઞાતા) આજ્ઞાથી ભોજન કરી શકો છો. - ચોથી વાત છે સમાધિની. ચિત્તની સમાધિનું મહત્ત્વ તીર્થકરોએ ખૂબ બતાવ્યું છે. ચિત્તની સમાધિ જ ધર્મધ્યાન છે. સદ્ગતિનો હેતુ ધર્મધ્યાન છે. એટલા માટે સમાધિ ટકાવવી એ ખૂબ મહત્ત્વ ધરાવે છે. તમે ઉપવાસ કર્યો, પછી ખૂબ ભૂખ લાગી. ભૂખની વેદના અસહ્ય બનતી જતી હોય; મન વિચલિત, ચંચળ અને ભોજન કરવા લાલાયિત થઈ જતું હોય; એ સમયે ગુરુદેવની આજ્ઞાથી ભોજન કરી શકો છો. – પાંચમી વાત છે અમારી સાધુ-સાધ્વીઓની, તે છે પારિષ્ઠાપનિકા! સાધુસમુદાય હોય. ભિક્ષા લઈ આવ્યા. ભિક્ષા વધુ આવી ગઈ. એક-બે સાધુઓને તિવિહાર ઉપવાસ છે. બચેલી ભિક્ષા ગુરુદેવ એમને આપે છે અને તેઓ આરોગી જાય છે, છતાં તેમનો ઉપવાસ અખંડ રહે છે ! આ છે ઉપવાસના પચ્ચકખાણનું સ્વરૂપ. સમજી ગયા ને? પચ્ચકખાણના વિષયમાં ૬ વિશિષ્ટ વાતો : આજે મેં તમને લીકોને વિશિષ્ટ પ્રચલિત પચ્ચકખાણના વિષયમાં અને તે પણ સંક્ષેપમાં જણાવ્યું. વિશેષ કરીને આ વાતો અધ્યયન કરવા યોગ્ય છે. તમારે આ વાતો “પચ્ચખાણ ભાષ્ય' “પ્રવચન સારોદ્ધાર' આદિ ગ્રંથોના અધ્યયનથી જાણવી જોઈએ. પરંતુ પ્રસ્તુત “ધર્મબિંદુ' ગ્રંથના રચયિતા આચાર્યદેવે પચ્ચક્ખાણ’ કરવાની વાત કહી દીધી છે, એટલા માટે આજે આટલા વિસ્તારથી કહ્યું છે. હવે પચ્ચક્ખાણ પારતી વખતે જે ૬ વાતો સૂત્રમાં બોલવામાં આવે છે એ ૬ વાતો જણાવીને પ્રવચન પૂર્ણ કરીશ. - પ્રથમ વાત છે પચ્ચકખાણને સ્પર્શ કરવાની. પચ્ચકખાણ સ્પષ્ટ =સિય હોવું જોઈએ. આ વિષયમાં પ્રવચન સારોદ્ધાર' ગ્રંથમાં કહેવામાં આવ્યું છેઃ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004543
Book TitleShravaka Jivan Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy