SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ ૩ ૩૧ કરતા હતા. સાધુ-સાધ્વી ગૃહસ્થોનાં ઘરમાંથી જ ભિક્ષા લાવતાં હતાં, એ દૃષ્ટિએ આ બે અપવાદો બતાવ્યા છે. પહેલો અપવાદ : સાધુ-સાધ્વી ભિક્ષા લેવા (આયંબિલની) તમારે ઘેર આવ્યાં; તમે ઘી યા તેલથી લિપ્ત વાટકીમાં ભાત, દાળ, વગેરે લઈને ભિક્ષા આપી. ભાત વગેરેમાં ઘી યા તેલનો કંઈક અંશ આવ્યો, છતાં અમે આયંબિલમાં તેનો ઉપયોગ કરી શકીએ છીએ. ઘરમાં ગોળ અથવા સાકર ઉપર કોરી (લુખ્ખી) રોટલી પડી છે. તમે રોટલી ઉપાડીને સાધુ-સાધ્વીને આપી દીધી. રોટલી ઉપર ગોળ યા સાકરના કેટલાક અંશો પડેલા છે, છતાં પણ અમે આયંબિલમાં વાપરી શકીએ છીએ. આ અપવાદ આગારનું નામ છે “લેવાલેવેણ.’ બીજો અપવાદ ઃ તમારા લોકોનાં ઘરમાં કોઈ કોઈ વાર અકલ્પ્ય - અભોક્તવ્ય પદાર્થો પણ હોય છે ! કલ્પનીય-ભોક્તવ્ય વસ્તુની સાથે એ પદાર્થો પડ્યા છે. તમે એમાંથી કલ્પનીય વસ્તુ ઉપાડીને સાધુ-સાધ્વીને આપો છો. તો સાધુ લઈ શકે છે. કલ્પની સાથે અકલ્પ્ય વસ્તુ વધારે પ્રમાણમાં લિપ્ત ન હોવી જોઈએ. પરંતુ આ વાત તો જ્યારે આયંબિલખાતા ન હતા ત્યારની છે ! આજકાલ મોટા ભાગના સાધુ-સાધ્વીઓ આયંબિલખાતામાંથી જ આયંબિલની ભિક્ષા લે છે, ત્યાં તો આયંબિલની શુદ્ધ ભિક્ષા મળી જાય છે. ઉપવાસનું પચ્ચક્ખાણ : જે રીતે એકાસણું-આયંબિલનું પચ્ચક્ખાણ હોય છે, તેવી રીતે પર્વના દિવસોમાં ઉપવાસનું પણ પચ્ચક્ખાણ શ્રાવક-શ્રાવિકાઓ તેમજ સાધુ-સાધ્વીઓ કરે છે. છેલ્લા ૨૫ વર્ષોમાં ક્રમશઃ ઉપવાસની તપશ્ચર્યા વધતી રહી છે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, આઠ, ત્રીસ, એકત્રીસ, ચાલીસ, પચાસ, અડસઠ વગેરે ઉપવાસો લગાતાર કરે છે. એક સાથે ૧૨૦ ઉપવાસ કરનારા મહાતપસ્વી કળિયુગમાં પણ છે ! ઉપવાસને શાસ્ત્રીય ભાષામાં ‘અભક્તાર્થ' કહે છે. ‘ભક્ત' એટલે ભોજન. અભક્તાર્થ એટલે ભોજન ન કરવું. તમે લોકો જાણો જ છો કે ઉપવાસમાં પાણી (ઉકાળેલું પાણી) પી શકીએ. એને ‘તિવિહાર ઉપવાસ કહે છે. ઉપવાસમાં પાણી પણ ન પીવાય તો તેને ‘ચોવિહાર ઉપવાસ' કહે છે. ઉપવાસમાં પાંચ વાતોથી ઉપવાસ-ભંગ થતો નથી. એ પાંચ વાતો હું તમને જણાવું છું : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004543
Book TitleShravaka Jivan Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy