SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ શ્રાવકજીવન જેવા વ્રતમાં પણ ઊભા થઈને બીજી જગાએ જઈને ભોજન પૂરું કરવાનું કહ્યું છે ! તો આ વાતમાં શંકા કરવાની જરૂર નથી. બીજું, તમે એકાસણું કરવા બેઠા છો, ભોજન શરૂ કરી દીધું છે અને તમારા ઘરમાં તમે બેઠા છો ત્યાં સાધુ-મુનિરાજ આવી જાય, તો મુખ પાણીથી સાફ કરીને ઊભા થઈ શકો છો. તમારું વ્રત તૂટશે નહીં. મુખ સાફ કરીને મન્થM વંદમ બોલવું જોઈએ. આ વિનય છે. ધર્મનું મૂળ વિનય છે. વિનયધર્મનું પાલન વિવેક સાથે સર્વત્ર કરવાનું છે. અમારે સાધુઓને તો ગૃહસ્થોની સામે ભોજન કરવાનો નિષેધ જ છે. અમે ગોચરી-ભોજન કરતા હોઈએ અને ત્યાં કોઈ ગૃહસ્થ આવી ગયો હોય, તે જતો ન હોય અને અમે એને જવાનું કહી ન શકતા હોઈએ, તો અમે લોકો પાત્ર લઈને બીજી જગાએ જઈને ભોજન કરીશું. ભલેને અમારે એકાસણું હોય કે આયંબિલ હોય ! અમારું વ્રત-પચ્ચકખાણ તૂટતું નથી. વ્રતભંગ થતો નથી. બોલો, આ સમજદારી છે તમારા લોકોની ? નથી, એટલા માટે કેટલીક ખોટી ધારણાઓ સમાજમાં રૂઢ થઈ ગઈ છે. આયંબિલ' નું તપ : આયંબિલનું મૂળ શાસ્ત્રીય નામ છે “આચાર્મ્સ.' આચાર્મ્સનું આયંબિલ થઈ ગયું અને કેટલાક પ્રદેશોમાં આંબેલ” પણ કહેવાય છે છેલ્લાં ૨૦ વર્ષમાં આ તપનો પ્રચાર-પ્રસાર ખૂબ થયો છે. ભારતમાં ગામેગામ, નગરનગર જેનપ્રજા આયંબિલ કરે છે. ચૈત્ર સુદમાં અને આસો સુદમાં આયંબિલ હજારો નહીં, લાખોની સંખ્યામાં થાય છે. આ તપમાં ઘી, દૂધ, તેલ, દહી, મિષ્ટાન્ન વગેરે ન ખવાય. મેવા અને ફળ પણ ત્યાજ્ય છે. માત્ર ઉકાળેલું પાણી, ધાન્ય, દ્વિદલનો ઉપયોગ કરવામાં આવે છે. મસાલામાંથી મીઠું, કાળા મરી, સૂંઠ, હિંગ વગેરે લઈ શકાય. આમ તો આયંબિલ ત્રણ પ્રકારના હોય છેઃ ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય. ઉત્કૃષ્ટ આયંબિલ માત્ર રાંધેલા ભાતનું જ હોય છે. તેમાં કોઈ મસાલા હોતા નથી. મધ્યમ આયંબિલમાં સર્વ વસ્તુઓ એક વાસણમાં એકત્ર કરીને ખાવાની હોય છે. જઘન્ય આયંબિલમાં મસાલા લઈ શકાય છે. આયંબિલ-તપ મંગલરૂપ માનવામાં આવ્યું છે. વિખનાશ કરનારું માનવામાં આવ્યું છે. સાધુ-સાધ્વી માટે આ તપમાં બે અપવાદો બતાવવામાં આવ્યા છે. એ સમયે જૈનસંઘોમાં ‘આયંબિલખાતું ન હતું. ગૃહસ્થ લોકો પોતાનાં ઘરમાં જ આયંબિલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004543
Book TitleShravaka Jivan Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy