SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ ભાગ ૩ સેવા કરનાર ત્યાં કોઈ ન હોય, તત્કાલ એમની સેવા કરવા જવાનું અનિવાર્ય હોય અને જે સેવાકુશળ હોય તે સાધુ ભૂખ્યો જઈ શકે તેમ ન હોય, તો તે પચ્ચકખાણની પહેલાં પણ ભોજન કરી શકે છે. – કોઈ અનાયમનુષ્ય જિનમંદિર તોડતો હોય અથવા મોટી આશાતના કરતો હોય ત્યારે તેને રોકવા માટે સમર્થ વ્યક્તિ, ભોજન વગર જઈ શકે તેમ ન હોય અને તે ભોજન કરીને જાય, તો તેનું પચ્ચકખાણ તૂટતું નથી. - સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા ઉપર કોઈ મોટી આફત આવી હોય તેને દૂર કરવાની ક્ષમતાવાળો સાધુ યા શ્રાવક ભોજન કર્યા સિવાય જઈ શકે તેમ ન હોય, તો તે પચ્ચખાણ (પુરિમઢાદિ) પહેલાં પણ ભોજન કરી શકે છે. પ્રયોજનનો નિર્ણય શાસ્ત્રષ્ટિથી કરવો જોઈએ. વિશેષ કર્મનિર્જરા કરાવનારું પ્રયોજન હોવું જોઈએ. આ નિર્ણય આચાયાદિ ગીતાર્થ પુરુષ જ કરી શકે. કોઈ સાધુ યા શ્રાવક જાતે નિર્ણય ન કરી શકે. જો તે શાસ્ત્રજ્ઞ મા પાપભીરુ હોય તો નિર્ણય કરી શકે છે. પાંચમું પચ્ચકખાણ એકાસણઃ એકાસણા-બેસણાના પણ પ્રચલિત પચ્ચકખાણ હોય છે. પાંચમ, આઠમ આદિ પર્વતિથિના દિવસોમાં એક જગાએ બેસીને ભોજન કરવાનું હોય છે. દિવસમાં એક વાર ભોજન કરવાનું હોય છે. ભોજન શરૂ કર્યા બાદ, જ્યાં સુધી મુખશુદ્ધિ ન થઈ . હોય ત્યાં સુધી નિપ્રયોજન ઊભા થવાનું નથી. ઊભા થયા પછી ફરીથી ભોજન ન કરી શકાય. આ બાબતમાં બે અપવાદો છે. બે કારણોથી તમે ભોજન કરતાં કરતાં ઊભા થઈ શકો છો અને ફરી બેસીને ભોજન કરી શકો છો. પ્રથમ કારણ - તમે એકાસણું કરવા બેઠા છો અને તમારી પાસે એવો કોઈ મનુષ્ય આવીને ઊભો હોય કે બેઠો હોય કે જેની નજર સારી ન હોય - નજર લાગી જતી હોય ! તો તમે થાળી સાથે ઊભા થઈને બીજી જગાએ જઈને બેસી શકો છો અને અધૂરું ભોજન પૂર્ણ કરી શકો છો ! સભામાંથી નજર લાગવાની વાત આપણે માનીએ છીએ ? મહારાજશ્રી ઃ જરૂર, માનવી જ પડે છે ! તૃષ્ટિમાં – મનુષ્યની દ્રષ્ટિમાં કેટલાય ગુણદોષ હોય છે. જેમ કે દ્રષ્ટિમાં અમૃત હોય છે, ઝેર પણ હોઈ શકે છે ! દ્રષ્ટિથી પુનર્જીવન પ્રાપ્ત થાય છે, તો મોત પણ થઈ જાય છે. તમને ખબર પડી જાય કે આ માણસની દ્રષ્ટિ સારી નથી, ઝેરી છે, તો તમારે એની સામે ખાવું નહીં, પીવું નહીં. જ્ઞાની પુરુષોએ એવા લોકોથી બચવા “એકાસણા' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004543
Book TitleShravaka Jivan Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy