________________
૨૨
શ્રાવકજીવન
ભોજન કરવું અને બીજાંની સાથે બેસીને ભોજન કરવું એમાં મોટું અંતર છે. અમે સાધુઓ જેટલા પણ સાથે રહીએ છીએ તે બધા પ્રાયઃ સાથે જ ભોજન કરીએ છીએ. બધા સાધુઓને યાદ કરીએ છીએ. કોઈ સાધુ ગોચરી ક૨વા ન આવ્યો હોય તો અમે યાદ કરીએ છીએ. પૂછીએ છીએ : પેલા મુનિ કેમ ગોચરી કરવા નથી આવ્યા ?’ કોઈ વા૨ એમની પાસે જઈને પૂછીએ છીએ. એ મુનિ ખુશ થાય છે અને અમારું કર્તવ્યપાલન થાય છે.
ચોથી વાત કહી છે ઉચિત કૃત્યની. ઉચિત કૃત્ય એટલે જે સાધર્મિક ભોજન માટે આમંત્રિત હોય તેને જો સ્નાન વગેરે કરવાનું હોય તો તેને ઉચિત સુવિધા આપવી, એની સાથે સારો વ્યવહાર કરવો. જો ભોજન પહેલાં બજારથી કોઈ વસ્તુ લાવવાની હોય તો લઈ આવવી. ઘરમાં નોકર ન હોય અને પત્ની ભોજન બનાવવામાં વ્યસ્ત હોય તો પાટલા મૂકવા, થાળી મૂકવી, પાણી..... વગેરે ઉચિત કૃત્ય કરવાં જોઈએ.
પાંચમી વાત છે ભોજન ક૨વા ઉચિત સ્થાન ઉપર બેસવું. ભોજન માટેની જગા પોતપોતાના ઘરના હિસાબે હોય છે. આજકાલ તો ‘ડાઇનિંગ હૉલ’ હોય છે, પરંતુ તે મોટાં ઘરોમાં જ. એક-બે રૂમોનાં ઘરોમાં અલગ ડાઇનિંગ હૉલ નથી હોતા. ત્યાં ભોજનની જગા બાથરૂમ-સંડાસની પાસે ન હોવી જોઈએ; એટલો જ ખ્યાલ રાખવાનો છે. જગા સ્વચ્છ હોવી જોઈએ અને ભોજનનાં વાસણો પણ સ્વચ્છ હોવાં જોઈએ.
છઠ્ઠી વાત છે પ્રત્યાખ્યાનની સ્મૃતિ કરવાની. શ્રાવક-શ્રાવિકાને કોઈક તો પ્રત્યાખ્યાન-પચ્ચક્ખાણ હોય જ છે. વિવિધ પ્રકારનાં પચ્ચક્ખાણ હોય છે. જેમ
કે ઃ
-
-
-
નવકારશી,
પોરસી,
સાઢ પોરસી,
બેસણા,
એકાસણા,
આયંબિલ.
ભોજનની પહેલાં યાદ કરો કે આજે મારે કયું પચ્ચક્ખાણ છે ? જેથી પચ્ચક્ખાણનો મૂળમાં ભંગ ન થઈ જાય. કેટલી સાવધાનીઓ બતાવી છે ભોજન
ક્રિયાના વિષયમાં ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org