________________
ભાગ ૩
(૧) જિનપૂજા (૨) ઉચિત દાન (૩) પરિજન-સ્મરણ (૪) ઉચિત કૃત્ય (૫) સ્થાનોપવેશન (૬) પ્રત્યાખ્યાનની સ્મૃતિ
ભોજનની પહેલાં આ છ વાતોનો ખ્યાલ કરવાનો છે. જિનેશ્વર ભગવાનની પૂજા, દ્રવ્યપૂજા, ભાવપૂજા ભાવોલ્લાસ સાથે કરવાની છે.
સાધુઓને સુપાત્રદાન કરીને પૂજ્ય માનીને તેમને પાણી અને ભોજનની ભિક્ષા આપવાની છે. એ રીતે સાધમિકોને પણ સુપાત્ર માનીને તેમને ભાવપૂર્વક ભોજન કરાવવાનું છે. પોતાની પાસે બેસાડીને પ્રેમથી ભોજન કરાવવાનું છે, અને જેઓ દીન-હીન ગરીબ હોય તેને કરુણાથી અનુકંપાદાન આપવાનું છે. આ સર્વ ઉચિત દાન કહેવાય છે. જે તે વ્યક્તિની યોગ્યતા અનુસાર દાન આપવું એ ઉચિત દાન કહેવાય છે.
ત્રીજી વાત ખૂબ જ મહત્ત્વપૂર્ણ કહી છે. ભોજન કરતી વખતે પરિજનોનું સ્મરણ કરવાનું છે. ઘરનાં અન્ય સભ્યોને એટલે કે માતાપિતા, ભાઈબહેન, પુત્ર-પુત્રી વગેરેને યાદ કરવાનાં છે - તેમણે ભોજન કર્યું કે નહીં તે પૂછવાનું છે.
સભામાંથી અમે તો ભોજન વખતે કોઈને યાદ નથી કરતા.
મહારાજશ્રી? અત્યારે હું તમારા લોકોની વાત નથી કરતો. જ્ઞાની પુરુષોએ તમારે માટે જે વાતો કહી છે તે વાતો સમજાવી રહ્યો છું. આ વાતો સાંભળીને તમે કદાચ ભાગ્યે જ આ વાતોનું પાલન કરશો એ પણ હું જાણું છું. શું તમારા ઉપર હું વિશ્વાસ રાખી શકું કે તમે લોકો આ વાતોનું પાલન કરશો? નહીં જ ને? હવે તમે નહીં બોલો.
ભોજન વખતે સ્વજનોને પરિજનોને યાદ કરવાથી તે સૌનો તમારા પ્રત્યે પ્રેમ વધી જશે. જો ઘરમાં નોકર રહેતા હોય તો ભોજન સમયે તેમને પણ યાદ કરો. ઘરમાં પરસ્પર પ્રેમ વધારવાનો આ પણ એક સારો ઉપાય છે. મનુષ્યનાં મનનો આ એક સ્વભાવ છે કે કોઈ આપણને ભોજનના સમયે યાદ કરે, પ્રેમથી યાદ કરે તો આપણું મન પ્રસન્ન થાય છે. જો કે બીજા સમયે પણ સ્વજન-પરિજનો સાથે તમારો વ્યવહાર સારો હોવો જોઈએ. તમારી સાથે બેસીને ભોજન કરવામાં તેમને આનંદ-ખુશી હોવી જોઈએ. બીજાંને ભોજન કરાવવાની પણ એક કળા છે. એકલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org