SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ શ્રાવકજીવન શ્રી પાર્શ્વય, શ્રી ધરણેન્દ્ર, શ્રી પદ્માવતી આદિ જેમની નજીક રહેલાં છે એવા. આ બંને અર્થ ટીકાકારોએ કર્યા છે અને આ બંને અર્થો યથાર્થ લાગે છે. - ૩વસાદ અને પક્ષ આ બે શબ્દોને એક જ શબ્દ માનવો જોઈએ. બે અલગ નહીં. ૩વદi vi i એ શબ્દમાં ની ઉપર જે અનુસ્વાર છે, તે પ્રાકૃત ભાષાને કારણે છે. પ્રતિદિનુસ્વાર એટલા માટે અર્થ કરતી વખતે અનુસ્વારને લક્ષમાં નથી લેવાનો. कम्मघणमुक्कं : આ “કમ્મઘણમુક વિશેષણ છે કર્મરૂપી વાદળોથી મુક્ત. જો ઘણ” ને “કમ્પનું વિશેષણ બનાવવામાં આવે તો ઘણ’ નો અર્થ “દીર્ઘકાલીન સ્થિતિવાળા” અથવા "નિબિડ’ અર્થ થાય છે. એટલે કે “નિબિડ કમાંથી મુક્ત” એવો અર્થ થાય છે. ઘાતી કર્મોથી મુક્ત અને આત્મા જ્યારે ઘાતકર્મથી મુક્ત થાય છે ત્યારે તે સર્વજ્ઞસર્વદર્શી બને છે. પ્રસ્તુતમાં આ વિશેષણથી શ્રી પાર્શ્વનાથ ભગવાનની સર્વજ્ઞતા સૂચિત થાય છે. વિસર–વિસ–નિનાનં : 'વિષે થરાતિ વિષથ જે વિષને ધારણ કરે તે વિષધર કહેવાય છે. એટલે કે સર્પ - નાગ. સર્વ પ્રકારના સર્પોનું ઝેર નષ્ટ કરનારા - એવો અર્થ થાય અથવા વિષ’નો અર્થ મિથ્યાત્વ કષાય આદિ ભાવ-વિષ સમજવું. ભાવ-વિષને ધારણ કરનારા ભાવ-વિષધર કહેવાય છે. એમના વિષને પોતાના વચનામૃતથી નષ્ટ કરે છે તે વિષહર-વિષ-નિનસિન' કહેવાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે શ્રી પાર્શ્વનાથ ભગવાન દ્રવ્ય-વિષધર અને ભાવવિષધર એ બંને વિષધરોના વિષનો નાશ કરનારા છે. मंगल कल्लाण-आवासं : મંગળ એટલે કે વિબોની ઉપશાન્તિ તથા કલ્યાણ – સંપત્તિનો ઉત્કર્ષ * શ્રી સિદ્ધિચંદ્ર ગણીએ મંગલનો અર્થ “શ્રેય' અને કલ્યાણનો અર્થ “સંપત્તિ ઉત્કર્ષ કર્યો છે. * શ્રી હર્ષકાતિસૂરિએ મંગલનો અર્થ દુરિતનું ઉપશમન તથા કલ્યાણનો અર્થ નિરોગિતા કર્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004543
Book TitleShravaka Jivan Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy