________________
(પ્રવચન :
૯)
પરમ ઉપકારી, મહાન વ્યુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ધર્મબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવકજીવનની દિનચર્યા બતાવતાં કહ્યું છે? 'नमस्कारादिचिन्तनम् ।
નમસ્વાદિમાં ‘આદિ પદ છે. આદિ પદથી “લોગસ્સ સૂત્ર'નું ચિંતન રજૂ કર્યું અને હવે 'કવસર સ્તોત્રમ્ નું ચિંતન બતાવું છું. વિસ્તારથી એટલા માટે જણાવું છું કે જેથી તમે લોકો સરળતાથી ચિંતન કરી શકો. ઉવસગ્ગહર સ્તોત્રનો અર્થ - ભાવાર્થ - રહસ્યાર્થ
શ્રી ઉવસગ્ગહરં સ્તોત્ર નિયમિત પ્રતિદિન શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરવા યોગ્ય છે. વારંવાર આ સ્તોત્રનું ચિંતન કરવું જોઈએ. પરંતુ ચિંતન કરવા માટે અર્થજ્ઞાન હોવું આવશ્યક છે. અર્થજ્ઞાન વગર ચિંતન શક્ય નથી બનતું.
અર્થ - ભાવાર્થ જ જ્ઞાનનો પ્રકાશ છે. ભાવમંદિરમાં પ્રવેશ કરવાનું મંગલ દ્વાર છે. સૂત્ર અને અર્થ જ્ઞાનાચારનાં વિશિષ્ટ અંગ માનવામાં આવ્યાં છે. કોઈ પણ મંત્રની સિદ્ધિ માટે એનો જાપ કરવામાં આવે છે. એ રીતે એની અર્થભાવના પણ કરવામાં આવે છે. એ જ પ્રકારે આ મંત્રમય સ્તોત્રનું અર્થજ્ઞાન પણ સંપાદન કરવું જોઈએ. એની ઉપર વારંવાર શાન્ત ચિત્તથી ચિંતન-મનન કરવું જોઈએ. સર્વ પ્રથમ પહેલી ગાથાનો અર્થ ભાવાર્થ બતાવું છું:
उवसग्गहरं पासं पासं वंदामि कम्मघणमुक्कं ।
विसहर-विसनिन्नासं मंगलकल्लाण-आवासं ॥१॥ જેની પાસે રહેલા દેવ - પાર્શ્વયક્ષ, ધરણેન્દ્ર, પદ્માવતી વગેરે ભક્તજનોના સર્વ ઉપસર્ગો દૂર કરે છે. જે ઘાતકર્મોથી મુક્ત હોવાથી સર્વજ્ઞ તેમજ સર્વદર્શી છે, જેમનું નામ-સ્મરણ ભયંકર સપના ઝેરને નષ્ટ કરનારું છે, તથા જે મંગલ તેમજ કલ્યાણના પરમધામ હોવાથી સર્વ માટે પૂજ્ય છે; એવા પાર્શ્વનાથ ભગવાનને હું મન-વચનકાયાની શુદ્ધિથી વંદન કરું છું. उवसग्गहरं पासं :
જે ઉપસર્ગને હરે તે ઉપસર્ગહર. એવા પાર્શ્વયક્ષ જેમના સેવક છે એવા. અહીં પાર્શ્વનો અર્થ “સમીપે' કરવાથી બીજો અર્થ મળે છે. ઉપસર્ગોને દૂર કરનાર દેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org