________________
૨૪૬
શ્રાવકજીવન તરત જ અવશ્ય નષ્ટ થાય છે. અને તમામ સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે.
પરંતુ આ ટીકાગ્રંથમાં આગળ લખ્યું છેઃ पूर्व किल अस्य स्मरणस्य सप्तगाथा अनुभवन् । ततो गाथाद्वयं श्री भद्रबाहुस्वामिभिर्भाण्डागारे स्थापितम् ॥
પહેલાં આ સ્મરણની સાત ગાથાઓ હતી, પરંતુ પાછળથી શ્રી ભદ્રબાહુ સ્વામીએ એની ૬-૭-આ બે ગાથાઓ ભંડારમાં સ્થાપિત કરી દીધી. એટલા માટે પાંચ જ ગાથાઓ છે.”
આ રીતે આ સ્તોત્રની પાંચ ગાથાઓ જ માન્ય કરી છે. પરંતુ કાળક્રમે આ સ્તોત્રમાં નવી-નવી ગાથાઓ ઉમેરાવા લાગી, એટલા માટે વર્તમાનમાં આ સ્તોત્રની ૯ગાથાઓ, ૧૩ ગાથાઓ, ૧૭ ગાથાઓ, ૨૧ ગાથાઓ તેમજ ૨૭ ગાથાઓ મળે
હું આ સ્તોત્રની પાંચ ગાથાઓ માનીને, એ પાંચ ગાથાઓનો ભાવાર્થ - રહસ્ય બતાવીશ. પ્રવચન પૂર્ણ કરતા પહેલાં હું એ બતાવી દેવું ઉચિત સમજું છું કે સ્તવન અને સ્તોત્ર ઓછામાં ઓછાં પાંચ શ્લોકનાં અથવા પાંચ ગાથાઓનાં હોય છે. આજે બસ, આટલું જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org