________________
૨૪૦
શ્રાવકજીવન
અનેક પ્રાચીન ગ્રંથોમાં લખેલી છે.
उवसग्गहरं थोत्तं काऊण जेण संघकल्लाणं ।
करुणायरेण विहियं स भद्रबाहु गुरु जयउ ॥ કરુણાના ભંડાર સમા આચાર્યદિને ઉવસગ્ગહર સ્તોત્રની રચના કરીને શ્રીસંઘનું કલ્યાણ કર્યું. તે શ્રી ભદ્રબાહુસ્વામી ગુરુ જયવંત થાઓ !'
“ સ ત્વસપ્તતિ–વૃત્તિ માં કહેવામાં આવ્યું છે કે "ते हिं नाणबलेण वराहमिहिर वंतस्स दुच्चिट्ठियं नाऊण सिरि पास सामिणो 'उवसग्गहरं थवणं काऊण संघकए पेसियं ॥"
શ્રી ભદ્રબાહુસ્વામીએ જ્ઞાનબળથી વરાહમિહિર વ્યંતરનું દુશેષ્ટિત - રોગ ફેલાવવાનું - જાણીને શ્રી પાર્શ્વનાથ સ્વામીનું ઉવસગ્ગહર સ્તોત્ર' નામે સ્તોત્ર - સ્તવન રચીને સંઘને મોકલ્યું."
ગુવવિલીમાં આચાર્યશ્રી મુનિસુંદરસૂરિજીએ કહ્યું કે अपश्चिमः पूर्वभृतां द्वितीयः श्री भद्रबाहुश्च गुरुःशिवाय । .. कृत्वोपसर्गादिहरस्तवं यो ररक्ष संघं धरणार्चितांहिः ॥ नियुढ सिद्धान्तपयोनिधिरावे स्वयंश्च वीरात् रवनगेन्दुवर्षे ।
આચાર્યશ્રી યશોભદ્રસૂરિજીના બીજા પટ્ટધર, અંતિમ પૂર્વધર, ઉવસગ્ગહર સ્તોત્રની રચના કરનારા ધરણેન્દ્રથી પૂજિત, સિદ્ધાન્તસાગરને વહન કરનારા અને વીર સંવત ૧૭૦માં સ્વર્ગવાસી થયેલા શ્રી ભદ્રબાહુ ગુરુ આપનું કલ્યાણ કરનારા થાઓ !' આ સ્તોત્રનો દિવ્ય પ્રભાવઃ
વરાહમિહિર-વ્યંતરદેવ દ્વારા ફેલાવવામાં આવેલો રોગ-ઉપદ્રવ આ સ્તોત્રથી દૂર થઈ ગયો. એ વાત તમે જાણી લીધી. હવે એના બીજા પ્રભાવોનું વર્ણન પ્રિયંકર નૃપકથામાં જિનસૂર મુનિવરે કર્યું છે.
उपसर्गहरस्तोत्रं कृतं श्री भद्रबाहुना ॥
ज्ञानादित्येन संघस्य शान्तये मंगलाय च ॥१॥ આ ઉવસગ્ગહર સ્તોત્ર જ્ઞાનના સૂર્ય સમાન શ્રી ભદ્રબાહુએ સંઘની શાન્તિ અને કલ્યાણ માટે બનાવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org