________________
૨૪૧
ભાગ ૩
આ સ્તોત્રનો પ્રારંભ વદિ શબ્દથી થાય છે, એટલા માટે આ સ્તોત્ર ‘ઉવસગ્ગહર સ્તોત્રનાં નામથી ઓળખાય છે. સંસ્કૃત ભાષામાં પસારસ્તોત્ર કહેવાય છે. બીજાં નામ ૩૫fહસ્તવ, ૩૫હત્તવન, ૩પસહર સ્તોત્ર... વગેરે પણ છે. આ સ્તોત્રમાં ભગવાન પાર્શ્વનાથની સ્તવના હોવાથી એને પર્ધ્વનિન–પુતd – 'પાર્શ્વતવં પણ કહેવાય છે.
एतत्स्तवप्रभावो हि वक्तुं केनापि शक्यते ?
गुरुणा हरिणा वा वाक्-प्रह्वाप्येकजिह्वया ॥२॥ આ સ્તવનો પ્રભાવ કોણ કહી શકે? વાણીમાં વિનમ્ર એવી એક જીભથી બૃહસ્પતિ યા ઈન્દ્ર પણ કહેવામાં સમર્થ નથી.
उपसर्गहरस्तोत्रे स्मृते स्युः शुभसंपदः ।
संयोगसन्ततिनित्यं स्युः समीहितसिद्धयः ।। ઉપસર્ગહર સ્તોત્રનું પ્રતિદિન સ્મરણ કરવાથી શુભ સંપત્તિ, સંતતિનો યોગ, તથા ઈચ્છિત સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. શુભ સંપત્તિ એટલે કે વિદ્યાસંપત્તિ, કલાસંપત્તિ, ધનસંપત્તિ અને ધર્મસંપત્તિ સમજવી.
સંતતિયોગ એટલે કે વિનયવાન આજ્ઞાંકિત પુત્ર-પુત્રી પરિવાર સમજવો. ઈચ્છિત સિદ્ધિઓ એટલે વેપારમાં લાભ, શત્રુપક્ષ પર વિજય થતા મંત્રાદિસિદ્ધિઓ સમજવી.
उदयोच्चपदोपाया उत्तमत्वमुदारता ।
उकाराः पचं पुंसः स्युरुपसर्गहरस्मृतेः ॥४॥ ઉપસર્ગહરનું સ્મરણ કરવાથી પુરુષને પાંચ “ઉ'કારની પ્રાપ્તિ થાય છે? ૧. ઉદય, ર. ઉચ્ચપદ, ૩. ઉપાય, ૪. ઉત્તમતા અને ૫. ઉદારતા. '
પ્રથમ છે ઉદય. ઉદય એટલે કે પ્રતિદિન પ્રગતિ-ઉન્નતિ. બીજો ઉકાર છે ઉચ્ચપદ. કોઈ મોટા પદની પ્રાપ્તિ થાય છે. મોટો હોદો, અધિકાર મળે છે. રાજ્યાદિ તરફથી સન્માન પ્રાપ્ત થાય છે. ત્રીજો ઉકાર છે ઉપાય. ઉપાય એટલે ઇષ્ટ પ્રાપ્તિની સાધના. ચોથો ઉકાર છે ઉત્તમતા. ઉત્તમતા એટલે શ્રેષ્ઠતા. શ્રેષ્ઠતા પ્રાપ્ત થાય છે. પાંચમો ઉકાર છે ઉદારતા. પરોપકાર કરવાની વૃત્તિ જાગૃત થાય છે.
पुण्यं पापक्षयः प्रीतिः पद्मा च प्रभुता तथा । पकाराः पंच पुंसां स्युः पार्श्वनाथस्य संस्मृतौ ॥५॥
Jain Equation International
For Private & Personal Use Only
www.jainelibrary.org