SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ શ્રાવકજીવન વર્ષા થશે, અને હું માર્ગમાં જે વર્તુળ બનાવું, તેની મધ્યમાં બાવન પલ વજનની મોટી માછલી પડશે.’ આ વાત આચાર્ય ભદ્રબાહુએ સાંભળી, તેમણે પોતાના જ્ઞાનપ્રકાશમાં જોયું. જોઈને શ્રાવકો દ્વારા નંદરાજાને કહેવડાવ્યું કે : “વૃષ્ટિની વાત સાચી છે, પરંતુ જે માછલી પડશે તે પર પલમાં અડધો પલ ઓછા વજનની હશે. અને વર્તુળની મધ્યમાં નહીં પડે, પરંતુ કિનારે પડશે.’ ભદ્રબાહુસ્વામીએ કહ્યું હતું તે પ્રમાણે જ બન્યું. રાજાને ભદ્રબાહુસ્વામી પ્રત્યે શ્રદ્ધા જન્મી. આથી વરાહમિહિર જૈનસંઘ અને જૈનસાધુઓ પ્રત્યે વધારે દ્વેષી બન્યો. કેટલાક દિવસો પછી એક બીજી ઘટના બની. રાજાના મહેલમાં રાણીએ પુત્રને જન્મ આપ્યો. વરાહમિહિરે રાજકુમારની જન્મકુંડળી બનાવીને એનો ફળાદેશ કરતાં કહ્યું કે : “મહારાજા, રાજકુમારનું આયુષ્ય ૧૦૦ વર્ષનું છે.’ રાજાનું મન પ્રસન્ન થયું. પ્રજા પણ આનંદિત થઈ. લોકો પુત્રજન્મનો આનંદ મનાવવા લાગ્યાં. રાજા અને રાજકુમારને આશીવિંદ આપવા અનેક ધર્મગુરુઓ રાજાની પાસે આવ્યા. સૌએ આશીર્વાદ આપ્યા. પરંતુ ભદ્રબાહુસ્વામી ન ગયા. શ્રાવકો દ્વારાય આશીર્વાદ ન મોકલાવ્યા. વરાહમિહિર ધ્યાન રાખતો હતો કે “ભદ્રબાહુ આશીર્વાદ આપવા રાજસભામાં જાય છે કે નહીં !' જ્યારે ભદ્રબાહુ ન ગયા તો વરાહમિહિરે રાજાનાં કાનમાં વિષ રેડી દીધું ઃ મહારાજા, રાજકુમારને આશીર્વાદ આપવા સૌ આવ્યું, સર્વ ધર્મગુરુઓ પણ આવ્યા, પરંતુ જૈનાચાર્ય ભદ્રબાહુસ્વામી ન આવ્યા, કારણ હું જાણતો નથી. તમે જાણી શકો છો !' નંદરાજાએ મહામંત્રી શકડાલને પૂછ્યું : “મહામંત્રી, કુમારને આશીર્વાદ આપવા સર્વ ગુરુઓ આવી ગયા. તમારા ગુરુ કેમ ન આવ્યા ?’ શકડાલે કહ્યું : ‘આજે જ હું ગુરુદેવને પૂછીને કાલે આપને જણાવીશ.' મહામંત્રીએ ગુરુદેવની પાસે જઈને પૂછ્યું ઃ ગુરુદેવે કહ્યું : “મહામંત્રી, રાજાને કહેજો કે આજથી સાતમા દિવસે બિલાડી દ્વારા રાજકુમારનું મોત થશે. એ જાણીને અમારા આચાર્ય પુત્રજન્મ પ્રસંગ ઉપર આશીવિંદ આપવા નથી આવ્યા.’ મહામંત્રીએ જઈને રાજાને વાત જણાવી દીધી. આમેય રાજાને ભદ્રબાહુસ્વામી પર શ્રદ્ધા હતી, તેમની વાત માનતો હતો. તેણે સર્વ બિલાડીઓને નોકરો દ્વારા નગર બહાર કાઢી મુકાવી. રાજકુમારની આજુબાજુ સશસ્ત્ર સૈનિકો ઊભા કરી દીધા. રાજમહેલમાં એક પણ બિલાડીનો પ્રવેશ ન થાય એવી વ્યવસ્થા કરવામાં આવી. રાજા આથી આશ્વસ્ત થયો કે નગરમાં એક પણ બિલાડી રહી નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004543
Book TitleShravaka Jivan Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy