SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ ૩ ૨૩૭ આગમોનું અધ્યયન કરવા લાગ્યા. અગિયાર અંગ’ સૂત્રોનું અધ્યયન પૂર્ણ કર્યા પછી જ્યારે બારમું દૃષ્ટિવાદ' સૂત્ર ભણવાનો પ્રારંભ કર્યો તો વરાહમિહિરને એ ભણવું મુશ્કેલ લાગ્યું, એ ભણી ન શક્યા. ભદ્રબાહુ મુનિએ ભણી લીધું. દ્રષ્ટિવાદના અંતર્ગત ૧૪ પૂર્વોનું જ્ઞાન હોય છે. ભદ્રબાહુ સ્વામીએ અસાધારણ ધૈર્ય અને પરિશ્રમથી ૧૪ પૂર્વોનું અધ્યયન કરી લીધું. તેઓ શ્રુતકેવલી’ બની ગયા. ભદ્રબાહુ મુનિની સર્વતોમુખી પ્રતિભા જોઈને ગુરુદેવે એમને આચાર્યપદે સ્થાપિત કય િવરાહમિહિરને આચાર્યપદ આપ્યું નહીં. એ પદ પામવાની એમનામાં યોગ્યતા જ ન હતી. વરાહમિહિર નારાજ થઈ ગયા. આચાર્ય બનવાની તેમની આકાંક્ષા પૂર્ણ ન થતાં તેમણે જેનદીક્ષા ત્યજી દીધી અને ફરીથી બ્રાહ્મણ બની ગયા. જૈન ધર્મ અને જૈન સાધુઓના દ્વેષી પણ થઈ ગયા. વરાહમિહિરે સાધુજીવનમાં જ્યોતિષનું સારું અધ્યયન કર્યું હતું, આથી તેણે જ્યોતિષવિદ્યાને જ પોતાનો વ્યવસાય બનાવ્યો. રાજા અને પ્રજામાં તે પ્રિય બની ગયો. તેણે પ્રજાનાં મનમાં એક મન કલ્પિત વાત વહેતી કરી કે.... જ્યારે હું નાનો હતો ત્યારે મને જ્યોતિષવિદ્યાનો શોખ હતો. એક દિવસે હું ગાયો લઈને જંગલમાં ગયો હતો, રમતાં રમતાં મેં એક પથ્થરની શિલા ઉપર સિંહ લગ્નની કુંડળી બનાવી દીધી. સાંજે એ કુંડળીને નષ્ટ કર્યા વગર ઘેર પહોંચી ગયો. રાતમાં મને વિચાર આવ્યો : “મેં એ સિંહલગ્નની કુંડળી નષ્ટ કરી નથી. અત્યારે ત્યાં જઈને તેનો નાશ કરું.’ હું નિર્ભયતાથી રાતના સમયે જંગલમાં ગયો. ત્યાં જઈને શિલા ઉપર જોયું, તો સ્તબ્ધ થઈ ગયો. સિંહલગ્ન ઉપર સિંહ ઊભો હતો ! હું ભયભીત ન થયો. સિંહની નીચે હાથ નાખીને કુંડળી નષ્ટ કરી દીધી. મારું પરાક્રમ જોઈને એ સિંહ સૂર્યનાં રૂપમાં પ્રકટ થયો અને મને કહ્યું: “વત્સ, તારી આ લગ્નકુંડળી પ્રત્યે હું પ્રસન્ન થયો છું. અને તારા પરાક્રમથી પ્રભાવિત થયો છું. એટલે હું સૂર્યદવ તને કહું છું કે તારે જે જોઈએ તે માગી લે.” મેં કહ્યું, હે સૂર્યદિવજે આપ મારી ઉપર પ્રસન્ન થયા હો તો મને જ્યોતિષચક્રના સર્વ ગ્રહ, નક્ષત્ર અને તારાઓ બતાવી દો. મારે સંપૂર્ણ જ્યોતિષમંડળ જોવું છે.” સૂર્યદિવ અને જ્યોતિષ-દેવલોકમાં લઈ ગયા, અને સંપૂર્ણ જ્યોતિષમંડળ બતાવી દીધું. મેં એ બધું યાદ રાખી લીધું.’ લોકોએ વરાહમિહિરની વાત માની લીધી. વરાહમિહિરે સવાલાખ શ્લોકોની રચના કરીને જ્યોતિષનો એક મોટો ગ્રંથ બનાવ્યો. બીજી પણ અનેક રચનાઓ કરી. તે મગધનરેશ નંદનો પ્રીતિપાત્ર બન્યો. રાજાને પોતાના જ્ઞાનથી પ્રભાવિત કરવા માટે તે એક દિવસે રાજસભામાં ગયો અને રાજાને કહ્યું : હે રાજેશ્વર, આ ચાતુર્માસમાં, વષકાળમાં એક દિવસે ખૂબ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004543
Book TitleShravaka Jivan Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy