________________
પ્રવચન ઃ ૬૮
પરમ કૃપાનિધિ, મહાન શ્રુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ‘ધર્મબિંદુ’ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવકજીવનની દિનચર્યા બતાવતાં કહ્યું છેઃ
નમાાતિચિન્તનમ્ । - શ્રાવકે શ્રી નમસ્કાર મહામંત્રાદિ સૂત્રો પર ચિંતન કરવું જોઈએ. ‘આદિ’ શબ્દથી ‘લોગસ્સ સૂત્ર’ ‘ઉવસગ્ગહરં સ્તોત્ર’, ‘નમુન્થુણં સૂત્ર’ વગેરે સમજવાં જોઈએ. આ દૃષ્ટિથી નમસ્કાર મહામંત્રના વિષયમાં ત્રણ પ્રવચનો આપ્યાં. લોગસ્સ સૂત્રના વિષયમાં ત્રણ પ્રવચનો આપ્યાં; હવે ઉવસગ્ગહરં સ્તોત્રના વિષયમાં પ્રવચનનો પ્રારંભ કરીશ.
ઉવસગ્ગહરં સ્તોત્ર :
સૌ પ્રથમ તો આ સ્તોત્રની રચના કોણે કરી, કેમ કરી... વગેરે વાતો જણાવીશ. ઇતિહાસની આ વાત છે.
પ્રતિષ્ઠાનપુર નામનું નગર હતું. ત્યાં ભદ્રબાહુ અને વરાહમિહિર નામના બે બ્રાહ્મણ બંધુઓ રહેતા હતા. એ બન્ને ભાઈઓ ધર્મશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર, કાવ્ય...... ઇત્યાદિ શાસ્ત્રોમાં પારંગત હતા.
એક દિવસે પ્રતિષ્ઠાનપુરમાં જૈનાચાર્ય યશોભદ્રસૂરિજી પધાર્યા. તેઓ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની પરંપરામાં પાંચમા આચાર્ય હતા. ભગવાન પછી તેમના પાંચમા ગણધર શ્રી સુધર્માસ્વામી ઉત્તરાધિકારી બન્યા. તેમના નિર્વાણ પછી, તેમના શિષ્ય જંબૂસ્વામી ઉત્તરાધિકારી બન્યા. જંબૂસ્વામીના નિર્વાણ બાદ શ્રી પ્રભવસ્વામી જિનશાસનના નાયક બન્યા હતા. તેમના ઉત્તરાધિકારી શય્યભવસૂરિજી બન્યા હતા. શય્યભવસૂરિના શિષ્ય હતા શ્રી યશોભદ્રસૂરિજી.
જ્યારે શ્રી યશોભદ્રસૂરિજી પ્રતિષ્ઠાનપુરમાં આવ્યા ત્યારે ભદ્રબાહુ અને વરાહમિહિર તેમના પરિચયમાં આવ્યા. જૈનાચાર્યની અદ્ભુત ઉપદેશ શૈલી, અસાધારણ વિદ્વત્તા, ઉત્તમ ચારિત્ર અને પરમ શાન્ત મુદ્રાથી એ બ્રાહ્મણ બંધુઓ ખૂબ પ્રભાવિત થયા, તેમણે વિચાર કર્યો ઃ
‘આ મહાપુરુષની આગળ આપણું જ્ઞાન કશું જ નથી. આપણે તેમના શિષ્ય બની જઈએ અને તેમની પાસેથી વિશિષ્ટ જ્ઞાનની પ્રાપ્તિ કરીએ. જેથી મનુષ્ય-જીવન સફળ થશે તેમજ આત્માનું કલ્યાણ થશે.’
ભદ્રબાહુ અને વરાહમિહિરે દીક્ષા ગ્રહણ કરી, ગુરુચરણે બેસીને તેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org