________________
૧૮
શ્રાવકજીવન
લોકોને કહું છું કે તમે લોકો કદી પણ સાધુનિંદા ન કરો. જ્યાં સાધુનિંદા થતી હોય ત્યાં બેસો પણ નહીં. સાધુની નિંદામાં અનુમતિ પણ ન આપો.
નિંદા કરવી હોય તો પોતાની જ કરો. દોષ કહેવા હોય તો પોતાના જ કહો. બીજાંની નિંદા કરનારાઓને તમે સારા ન કહો. નિંદાખોર લોકોને તમે સદ્ગૃહસ્થ ન સમજો. જે ગૃહસ્થ હશે, શ્રાવક હશે, તે કદી પરિનંદા નહીં કરે, સાધુનિંદા તો નહીં કરે, ગૃહસ્થનિંદા પણ નહીં કરે, પાપીનાં પાપ પણ નહીં જણાવે. સાધર્મિક-પ્રેમથી સાધર્મિક ભક્તિ ઃ
જે ઉબુદ્ધ શ્રાવક હોય છે, તે સમજે છે કે સર્વે છદ્મસ્થ જીવો અનંત દોષોથી ભરેલા છે. જ્યાં સુધી આત્મા સર્વજ્ઞ-વીતરાગ નથી બનતો ત્યાં સુધી તેમાં અનંત કર્મ અને અનંત દોષો હોય જ છે. છતાં પણ તીર્થંકરોએ દોષદર્શન ન કરવાનો ઉપદેશ આપ્યો છે. બીજાંના દોષ નહીં પણ ગુણ જોવાનો ઉપદેશ આપ્યો છે. દોષો તો પોતાના જ જોવાનું કહ્યું છે.
જો સાધર્મિક શ્રાવક-શ્રાવિકાની ભક્તિ કરવી હોય, તો તેમના પણ દોષ ન જોવા. દોષ જોવાથી તેમના પ્રત્યે પ્રેમ-વાત્સલ્યનો ભાવ નહીં જાગે. અને જો સાધર્મિક પ્રત્યે પ્રેમ-વાત્સલ્ય નહીં હોય તો તેમની ભક્તિ કેવી રીતે કરશો ?
પ્રેમ-સ્નેહભાવ વિના ભક્તિ ન થઈ શકે. તમારા હ્રદયમાં સાધર્મિકો પ્રત્યે સ્નેહભાવ છે ખરો ? શું મૈત્રીભાવ છે ? સાધર્મિકોનું હિત ક્રરવાની ભાવના છે ? જરા અંદર જુઓ. તમારી જાતને તપાસો. ભોજન પહેલાં સાધુઓને ભિક્ષા આપવાની છે, સાધર્મિકોને ભોજન આપવાનું છે - ત્યારે આ બધી વાતો વિચારવી પડશે.
ન
મારો તો તમને લોકોને અનુરોધ છે કે તમે ભલે સાધુઓને ભિક્ષા ન આપી શકો, ભોજન ન આપી શકો, પરંતુ તેમની નિંદા તો કદીય ન કરો. તેમના દોષ ન જુઓ અને દોષાનુવાદ ન કરો. ધર્મ અને સ્વાધ્યાયના માર્ગમાં જીવદ્વેષ-જીવનિંદા
જીવતિરસ્કાર જેવાં પાપોને સ્થાન જ નથી.
હિતવૃષ્ટિથી કોઈ પરિચિત વ્યક્તિને તેના દોષ બતાવીને એને સુધારવો હોય તો એ વ્યક્તિને એકાન્તમાં પ્રેમભાવથી દોષ બતાવો. દોષ દૂર કરવાનો ઉપદેશ આપો. માની લો કે તેણે તમારો ઉપદેશ ન સાંભળ્યો અને વારંવાર દોષનું સેવન કરતો રહ્યો તો તમે તમારા મનમાં ઉપેક્ષાભાવ ધારણ કરો, પણ તેની નિંદા ન કરો. સભામાંથી ; અમારી હિતશિક્ષા ન સાંભળનારની નિંદા તો અમે કરીએ જ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org