SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ ૩ ૧૭ માણસ શ્રીમંતનો ચમચો હશે અને શ્રીમંત સાદ્વેષી હશે, તો એ ગરીબ હામાં હા કરનારો હશે અને તે પણ સાધુનિંદા કરનારો હશે. આ શ્રીમંત ઘરમાં અને બહાર - સાધુનિંદા કરતો જ રહેતો. તેના મનમાં સાધુઓ પ્રત્યે દ્વેષ થઈ ગયો હતો. પરંતુ જ્યારે મેં એને એની ઉત્તરાવસ્થામાં જોયો ત્યારે તેને જીભનો લકવો પડી ગયો હતો. શું ખબર ? પણ એને એની આ મોટી ભૂલનો ખ્યાલ આવી ગયો હશે, એની આંખોમાંથી આંસુ વહેતાં હતાં. બે હાથ જોડીને તે ક્ષમાપના કરી રહ્યો હતો. કોઈ કોઈ વાર આવાં ઉગ્ર પાપનાં ફળ આ જન્મમાં પણ મળે છે ! એટલા માટે જ તીવ્ર ભાવથી પાપ ન કરવાનો તીર્થંકરોએ ઉપદેશ આપ્યો છે. સભામાંથી : અમે પ્રત્યક્ષ દોષ જોયાં હોય તોય નહીં બોલવાનું ? મહારાજશ્રી : હા, છતાં પણ ન બોલવું. કોઈ વાર આંખો પણ દગો દેતી હોય છે. માત્ર બાહ્ય આચરણ જોઈને ‘આ સારું છે, આ ખરાબ છે,' નિર્ણય ન કરવો જોઈએ. માણસની ભલાઈ/બુરાઈ માત્ર તેના બાહ્ય આચરણ ઉપરથી માપી શકાતી નથી અને બીજાંનું સારાપણું-નરસાપણું નક્કી કરનારા આપણે કોણ ? દુનિયાના કાજી બનતા પહેલાં આપણે આપણું સ્વયંનું નિરીક્ષણ કરવું જોઈએ કે આપણે ક્યાં છીએ ? where we are ? આપણે કેવા છીએ ? જેઓ જાતે જ દોષોથી ભરેલા છે તેમને બીજાંના દોષો વિશે બોલવાનો કોઈ નૈતિક અધિકાર નથી. સાધુનિંદકો સ્વયં કેવા હોય છે ? : આજકાલ વાણીસ્વાતંત્ર્યના યુગમાં જે માણસને જે બોલવું હોય તે બોલવા દેવાય છે. તેને માત્ર પ્લેટફોર્મ મળવું જોઈએ. બોલવાની કળા હોવી જોઈએ. બસ, પછી દોષાનુવાદ શરૂ થઈ જાય છે. સાધુનિંદા ક૨ના૨ને કોણ રોકે છે ? મેં એક મોટાં શહેરમાં સાંભળ્યું હતું કે એક શ્રીમંતે જાહેરસભામાં સાધુઓની કટુ આલોચના, નિંદા કરી છે. એ શ્રીમંતનો એક મિત્ર મારો પરિચિત હતો. તે એક દિવસે મળવા આવ્યો. વંદન કરીને વિનયપૂર્વક બેઠો. મેં તેને તેના મિત્ર વિશે પૂછ્યું : ‘એનું જીવન કેવું છે ? તે જૈન છે ને ?” તેણે મને કહ્યું ઃ ‘મહારાજ, એ મારો મિત્ર છે, પરંતુ હું એને જૈન માનતો નથી. શ્રાવક નથી માનતો. એ રાત્રિભોજન કરે છે, અભક્ષ્ય ખાય છે. રાત્રે સૂતા પહેલાં થોડુંક પીએ છે. પત્ની છે અને તેની પ્રેયસી પણ છે. વધારે શું કહું ? ધનવાન છે એટલે લોકો એને માન આપે છે.’ 00 તમે લોકો સમજી ગયા ને ? જે જાતે જ દુરાચારી, અનાચારી, વ્યભિચારી હોય છે તેઓ જ પ્લેટફોર્મ ઉપર ચડીને સાધુપુરુષોની કટુ આલોચના કરે છે. કેવા બેશરમ લોકો હોય છે ? તેઓ પોતાની જાતને શું સમજતા હશે ? એટલા માટે હું તમને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004543
Book TitleShravaka Jivan Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy