________________
૧૬
શ્રાવકજીવન સભામાંથી : “આસ્રવ’ એ શું છે?
મહારાજશ્રી મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ અને પ્રમાદ - આ પાંચ આસ્રવ છે. કર્મબંધનાં આ પ્રમુખ કારણો છે. એટલા માટે આ પાંચેયને આસવ' કહે છે. સાધુ-મુનિરાજ આસ્રવોથી મુક્ત હોય છે. અલ્પ આસ્રવ હોય તો પણ એ આસ્રવમુક્ત કહેવાય છે. આ રીતે તેઓ પાંચ ઇન્દ્રિયોને સંયમમાં રાખનારા હોય છે. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ - આ ઇન્દ્રિયોના વિષયો છે. કયા વિષયને ગ્રહણ કરવો અને કયા વિષયને ગ્રહણ ન કરવો, એ વિવેક એમનામાં હોય છે.
ક્રોધ, માન, માયા અને લોભ - આ ચાર કષાયો છે. સાધુપુરુષો કષાયોને વશ થતા નથી. કષાયો ઉત્પન્ન થઈ જાય તો પણ તેઓ શીઘ શાન્ત થઈ શકે છે. તેઓ અશુભ વિચાર, અશુભ વાણી અને અશુભ શરીરપ્રવૃત્તિ નથી કરતા, એટલા માટે તેઓને ત્રણ દંડથી વિરત માનવામાં આવ્યા છે.
તમે સાધુઓમાં આ ૧૭ ગુણોનું આરોપણ કરો અને તેમને ભાવથી - સભાવથી ભિક્ષા આપો.
સભામાંથી કે અમે તો સાધુઓમાં પણ દોષ જોઈએ છીએ.
મહારાજશ્રી એથી નુકસાન તમને થઈ રહ્યું છે, સાધુલોકોને નહીં. માત્ર સાધુઓના જ નહીં, ગૃહસ્થોના ય દોષ જોવાના નથી. દોષદર્શનથી પાપકર્મોનું બંધન થાય છે. દોષદર્શનથી મનમાં દ્વેષ પેદા થાય છે. સાધુઓના દોષ જોનારાઓનાં મનમાં સાધુઓ પ્રત્યે દ્વેષ રહે છે. સદ્દભાવ, પ્રેમભક્તિ નથી રહેતાં. સાધુ-મુનિરાજ કદાચ તેમને ઘેર જશે, તો તે લોકો ભિક્ષા આપશે નહીં અને આપશે તો પણ દુભાવથી આપશે. દોષદર્શનમાં બુદ્ધિમત્તા નથી ?
કેટલાક લોકો પોતાને બુદ્ધિશાળી સમજે છે, તેઓ સાધુપુરુષોના દોષ જોતા રહે છે. દોષાનુવાદ કરતા રહે છે અને છાપાઓમાં પણ દોષાલેખન કરતા રહે છે. તેમને કોણ સમજાવે? એવું કરવાથી તેઓ કેવાં કેવા પાપકર્મો બાંધે છે અને પોતાના મનને દૂષિત કરે છે ! બીજા લોકોને આ બુદ્ધિમાન લોકો સાધુપુરુષો પ્રત્યે દુભવનાવાળા બનાવવાનો પ્રયત્ન કરે છે. આવા સાધુનિંદક, સાધુસમાલોચક લોકો તીવ્ર પાપકર્મ બાંધીને આ જન્મમાં ઘોર દુઃખ પામે છે.
ગુજરાતના એક મોટાં શહેરમાં આવો જ એક સાધુષી શ્રીમંત રહેતો હતો. તે મિલમાલિક હતો, પૈસાનું ખૂબ અભિમાન હતું. પૈસાનું અભિમાન જ ઘણું કરીને સાધુનિંદા કરાવે છે. ગરીબ માણસો પ્રાયઃ સાધુનિંદા નહીં કરે. હા, જો ગરીબ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org