________________
ભાગ ૩
૨૩૩
જિનચૈત્યમાં, જન્તુરહિત પ્રદેશમાં, હ્દયમાં ભક્તિભાવ ભરીને નતમસ્તક હોય, રોમરાજિ વિકસ્વર હોય, વદનકમળ વિકસિત હોય, પ્રશાન્ત-સૌમ્ય, સ્થિર દૃષ્ટિ હોય, સંવેદનપૂર્ણ હૃદય હોય, અચિંત્ય શુભ પરિણામથી ઉલ્લસિત આત્મવીર્ય હોય, પ્રતિસમય વૃદ્ધિંગત પ્રમોદથી વિશુદ્ધ, નિર્મળ અને સ્થિર અંતઃકરણ હોય ત્યારે જમીન ઉપર બે ઘૂંટણ, બે હાથ અને મસ્તક સ્થાપિત કરીને વંદના કરવી જોઈએ.
#
*
*
*
*
**
પરમાત્મ-પ્રતિમા ઉ૫૨ દૃષ્ટિ અને મન સ્થિર કરવું જોઈએ. ગુરુદેવની કૃપાથી એમના મુખથી નીકળેલી લોગસ્સ સૂત્રની પ્રથમ ગાથા - જો કે ચાર ચરણવાળી અને ૩૨ અક્ષરોવાળી છે - તેને ગ્રહણ કરવી જોઈએ.
પ્રથમ ગાથાનું અધ્યયન કરવા માટે ત્રણ ઉપવાસનું તપ.
બીજી, ત્રીજી અને ચોથી ગાથાનું અધ્યયન કરવા માટે ૬ ઉપવાસનું
તપ.
પાંચમી, છઠ્ઠી, સાતમી ગાથાનું અધ્યયન કરવા માટે ૬ ઉપવાસ, એક આયંબિલનું તપ કરવું જોઈએ.
એક ઉપવાસના બે આયંબિલ પણ કરી શકાય છે.
* ઉપધાનમાં સ્ત્રી-પુરુષોને પૌષધવ્રતમાં રહેવાનું હોય છે.
* ઉપધાનમાં ‘લોગસ્સ સૂત્ર'નું પ્રતિદિન ૩૨૪ વાર સ્મરણ કરવામાં આવે છે.
લોગસ્સ સૂત્રનાં ઉપધાન ૨૮ દિવસનાં હોય છે.
ચતુર્વિશતિ-સ્તવથી બોધિલાભની પ્રાપ્તિ ઃ
‘લોગસ્સ સૂત્ર' એટલે ‘ચતુર્વિંશતિ-સ્તવ’ ભાવ-મંગળ છે. આ ભાવ-મંગળથી જીવ કયો લાભ પ્રાપ્ત કરે છે, એ વિષયમાં શ્રી ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીર સ્વામીને પ્રશ્ન પૂછ્યો હતો :
थयथुइमंगलेणं भतै ! जीवे किं जणेइ ? नाणदंसण - चरित बोहिलाभं संजणइ । नाणदंसण - चरित - बोहिलाभ - संपन्नेणं जीवे अंतकिरियं कप्पविमाणोववत्तियं आराहणं आराहेइ ।
(ઉત્તરાધ્યયન સૂત્ર અ. ૨૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org