________________
ભાગ ૩
૨૩૧ ક્ષોભાયમાન નથી થતા, એટલા માટે સ્વયંભૂરમણથી પણ વધારે ગંભીર કહેવાય
ચોથું ચરણ છે: સિદ્ધ સિદ્ધિ મમ વિસંતુ ' ઉપર જે વિશેષણો બતાવ્યાં છે, એ વિશેષણોથી વિશિષ્ટ શ્રી તીર્થંકર ભગવંત જે કૃતકૃત્ય થઈ ગયા છે તેઓ મને સિદ્ધિપદ આપો.”
આ રીતે લોગસ્સ સૂત્રની સાત ગાથાઓનું વિવેચન પૂર્ણ થયું. સભામાંથી શ્રી તીર્થકર ભગવંત લોકના ભાવોદ્યોતથી ઉદ્યોતકર બતાવવામાં આવ્યા. શું દ્રવ્યોદ્યોતથી પણ લોકમાં ઉદ્યોત કરે છે ?
મહારાજશ્રી : “હા, દ્રવ્યોદ્યોતથી પણ તેઓ ઉદ્યોત કરી શકે છે ! તીર્થંકરની આગળ “ધર્મચક્ર ચાલે છે. ધર્મચક્રનો ઉદ્યોત દ્રવ્યોદ્યોત હોય છે. આ ધર્મચક્ર દેવકૃત અતિશયથી થાય છે. તે આકાશ અને પૃથ્વીને પ્રકાશિત કરે છે. ધર્મચક્રનું વર્ણન અરિહાફિયુત્ત નામના સ્તવનમાં ખૂબ સરસ મળે છે.
સૂર્યબિંબની જેમ દેદીપ્યમાન પ્રભાવાળા તેજથી જાજ્વલ્યમાન એવું ધર્મચક્ર જિનેન્દ્રની આગળ-આગળ ચાલે છે. આકાશ, પાતાળ તથા સમગ્ર પૃથ્વીમંડળને પ્રકાશિત કરતું તે ચક્ર ત્રણે લોકના અંધકારને દૂર કરે છે. (મિથ્યાત્વરૂપી મોહાન્ધકારને) ‘વીતરાગ સ્તોત્ર' માં શ્રી હેમચંદ્રસૂરિજીએ કહ્યું છેઃ
मिथ्यादृशां युगान्तार्कः सुद्रशाममृताग्चनम् । तिलकं तीर्थकृल्लक्ष्म्याः पुरश्चक्रं तवैद्यते ॥
(પ્રાણ : ૪, રોવર : ૨) ‘મિથ્યા વૃષ્ટિઓના માટે પ્રલયકાલીન સૂર્યસમાન, સમ્યફ વૃષ્ટિ આત્માઓ માટે અમૃતના અંજન સમાન અને તીર્થકરત્વલક્ષ્મીના ભાલ-કપાળમાં તિલક સમાન ધર્મચક્ર' હે નાથ ! આપની આગળ ચાલે છે !'
સભામાંથીઃ સુવિદિં ર પુરંતમાં સુવિહં કહ્યા પછી પુcવંત કહેવાનું શું પ્રયોજન છે?
મહારાજશ્રી પુષ્પવંત એ સુવિધિનાથનું બીજું નામ છે. શ્રી વાઘા સૂત્ર માં બે તીર્થકરોને ચંદ્ર જેવા ગૌર વર્ણના બતાવતાં ચંદ્રપ્રભ અને પુષ્પદંત - એ બે નામ બતાવ્યાં છે. એટલે કે ત્યાં ‘સુવિધિ' નામ નથી જણાવ્યું. એ દૃષ્ટિએ “સુવિધિ વિશેષણ બની શકે ! “આવશ્યક નિયુક્તિમાં માત્ર “પુષ્પદંત એક જ નામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org