________________
ભાગ ૩
પ્રકારે કરવામાં આવ્યો છે ઃ
૧. પોતપોતાનાં નામનું કીર્તન કરાવાયેલા, ૨. અપ્રમત્ત બનીને સ્તવન કરાયેલા,
૩. આદરપૂર્વક સ્તવન કરાવાયેલા. ભિન્નભિન્ન પ્રજ્ઞાવંત આચાર્યોએ કરેલા આ અર્થો છે.
આ ગાથાના બીજા ચરણમાં ‘રજ અને મલ બે શબ્દો આવ્યા છે. જે કર્મ જીવ બાંધી રહ્યો છે તે ‘રજ' શબ્દથી નિર્દિષ્ટ છે; અને જે કર્મ બાંધવામાં આવ્યું છે, નિકાચિત થઈ ગયું છે, તે મલ’ શબ્દથી નિર્દિષ્ટ છે. અથવા ઇયપિથિક કર્મરજ છે અને સામ્પરાયિક કર્મફળ છે !
‘જિણવરા’ શબ્દનું વિવેચન કરતાં આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી આવશ્યક સૂત્રની ટીકામાં કહે છે ઃ
:
इह प्रवचने सामान्यतो विशिष्ट श्रुतधरादयोऽपि जिना एवोच्यन्ते । तद्यथाश्रुतजिना अवधिजिना, मनःपर्यायज्ञानंजिना: छद्मस्थ वीतरागाश्च ।'
'
૨૨૫
શ્રી જિનપ્રવચનમાં સામાન્યતયા વિશિષ્ટ શ્રુતધર આદિ પણ ‘જિન’ જ કહેવાય છે. - શ્રુતિજન, અધિજિન, મનઃપર્યાયજન તથા છદ્મસ્થવીતરાગ. પ્રસ્તુતમાં એ ‘જિન’ સમજવાના નથી, પરંતુ જે કેવળજ્ઞાની છે, તેને જિન સમજવાના છે. કેવળજ્ઞાની આમ તો ‘જિણવર’ અભિપ્રેત છે.
પસીયંતુ :
પાંચમી ગાથાના ચોથા ચરણમાં જે પીયંતુ’ શબ્દ આવેલો છે તે ગંભીર ચિંતન કરવા યોગ્ય શબ્દ છે. બહુશ્રુત આચાર્યોએ આ શબ્દ ઉપર પર્યાપ્ત ચિંતન કર્યું છે. મેં આ સૂત્ર ઉપર પહેલાં પ્રવચનમાં પસીયંતુ’ શબ્દ ઉપર જે ચિંતન કરવાનું હતું તે કર્યું હતું. મારું ચિંતન પણ બહુશ્રુત આચાર્યોના પુષ્ટ મંતવ્યો પર જ આધારિત છે.
જિજ્ઞાસામાંથી ચિંતનનો ઉદ્ભવ થાય છે. અહીં મુખ્ય રૂપથી એક જિજ્ઞાસા જાગૃત થાય છે – ‘જેમના રાગદ્વેષ આદિ સર્વ દોષો ક્ષીણ થઈ ગયા છે ને વીતરાગ ભગવાન કૃપા-પ્રસાદ કેવી રીતે કરી શકે છે ?
આ જિજ્ઞાસાનું સમાધાન આચાર્યદેવશ્રી હરિભદ્રસૂરિજી આ રીતે કરે છે ઃ વીતરાગ ભગવંત કર્મક્લેશોનો નાશ થવાથી પૂજ્ય છે. જેઓ સ્તુતિ કરવાથીપ્રસન્ન થતા હશે તેઓ નિંદા થવાથી અવશ્ય રોષાયમાન થાય છે ! આ રીતે જેમનું ચિત્ત
Jain Education International ૧૫
For Private & Personal Use Only
www.jainelibrary.org