________________
(પ્રવચન : ૬૭)
પરમ કૃપાનિધિ, મહાન શ્રતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ધમબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવકજીવનની દિનચયનું પ્રતિપાદન કર્યું છે. દિનચયમાં તેમણે યોગાભ્યાસ અને ન હિવતનમ્ જેવી વાતો પણ કરી છે. ખૂબ મહત્ત્વપૂર્ણ છે એ વાતો. હું તો મહત્ત્વપૂર્ણ માનું છું. પરંતુ જ્યારે તમે માનશો ત્યારે કામ થશે! લોગસ્સ સૂત્રઃ લોગસ્સ સૂત્ર'ની ત્રણ શેષ ગાથાઓના વિષયમાં આજે વિવેચન કરવાનું છે. एवं मए अभिथुआ, विहुय-रय-मला पहीणजरमरणा । चउवीसं पि जिणवरा, तित्थयरा मे पसीयंतु ॥५॥ कित्तिय वंदिय महिया जे ए लोगस्स उत्तमा सिद्धा। आरुग्ग बोहिलाभं समाहिवरमुत्तमं હિંતુ દા चंदेसु . निम्मलयरा, आइच्चेसु अहियं पयासयरा।
सागरवरगंभीरा सिद्धा सिद्धिं मम दिसन्तु ॥७॥ एवं मए अभिथुआ :
કહેલા પ્રકાર અનુસાર અભિમુખતાથી નામો દ્વારા કીર્તન કરાયેલા. विहयरयमला :
જેમણે વિશિષ્ટ પ્રકારે સર્વ પ્રકારનાં કર્મોને દૂર કરી દીધાં છે. પીળગરા-મર
જેમની વૃદ્ધાવસ્થા તેમજ મૃત્યુ પૂર્ણરૂપે નષ્ટ થઈ ગયાં છે. चउवीसं पि जिणवरा :
૨૪ અને બીજા કેવળજ્ઞાની જિનેશ્વરો. तित्थयरा मे पसीयन्तुः
તીર્થકર મારી ઉપર પ્રસન્ન થાઓ ! પાંચમી ગાથાનું વિવેચન :
પાંચમી ગાથામાં મહત્ત્વપૂર્ણ શબ્દ છે 'પશુમા ! એ શબ્દનો અર્થ ત્રણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org