________________
ભાગ ૩
૨૪. વર્ધમાન :
સામાન્ય અર્થ : જન્મથી જ જે જ્ઞાનાદિથી વધતા રહે છે તે ‘વર્ધમાન.’ વિશેષ અર્થ : જ્યારથી ભગવાન માતાના ગર્ભમાં આવ્યા, ત્યારથી જ્ઞાતકુલ ધનધાન્યથી વધવા લાગ્યું, એટલા માટે તે ‘વર્ધમાન’ કહેવાયા.
આ રીતે ૨૪ તીર્થંકરોનાં નામના સામાન્ય તેમજ વિશેષ અર્થ બતાવ્યા.
વંદે
૨-૩-૪ ગાથાઓમાં ત્રણ વાર ‘વંદે’ પદનો અને બે વાર ‘વંદામિ’ પદનો પ્રયોગ થયો છે. આ રીતે વારંવાર ‘વંદે' અને ‘વંદામિ’ પદોનો પ્રયોગ શા માટે કરવામાં આવ્યો છે, તેમાં શું ગુઢાર્થ રહેલો છે..... એનું વિશેષ સ્પષ્ટીકરણ કોઈ પ્રાચીન ગ્રંથમાં વાંચવામાં આવ્યું નથી. માત્ર ચૈત્યવંદન-મહાભાષ્યમાં સામાન્ય સ્પષ્ટીકરણ છે.
जं पुण वंदइ किरया भणणं सुत्ते पुणो इत्थ । आयरपगासगत्ता पुणरुत्तं तं न दोसगरं શાખા “અહીં સૂત્રમાં વારંવાર જે વંદનાર્થક ક્રિયાપદ (વંદે-વંદામિ)નો પ્રયોગ થયો છે, તે આદર બતાવવા માટે છે; એટલા માટે તેમાં પુનરુક્તિ-દોષ નથી.'
આ રીતે ૨-૩-૪ ગાથાઓનો અર્થ બતાવ્યો. બાકીની ૫-૬-૭ ગાથાઓના વિશેષ અર્થ બતાવીશ કાલે,
૨૨૩
આ બધી શાસ્ત્રીય તેમજ તાત્ત્વિક વાતો એટલા માટે બતાવું છું કે તમે ‘લોગસ્સ સૂત્ર’ના વિષયમાં ચિંતન-મનન કરી શકો. ખૂબ પ્રભાવશાળી છે આ સૂત્ર. તમે ‘લોગસ્સ સૂત્ર’નો જાપ કરો, ધ્યાન કરો અને ચિંતન-મનન કરો. એ જ મંગલ
કામના.
આજે બસ, આટલું જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org