SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવકજીવન, ૨૨૨ રાખવામાં આવ્યું. ૧૯ મલ્લિ : સામાન્ય અર્થ : પરીષહ - આદિ મલ્લોને જે જીતે છે તે મલ્લિ. વિશેષ અર્થ: ભગવાનના માતાના ગર્ભમાં આગમન પછી માતાને સર્વ ઋતુઓમાં શ્રેષ્ઠ સુગંધી પુષ્પોની માળાની શય્યામાં સૂવાની ઈચ્છા થઈ, તેથી મલ્લિ’ નામ રાખવામાં આવ્યું. ૨૦. મુનિસુવતઃ સામાન્ય અર્થ જગતની અવસ્થાઓનું જે મનન કરે છે તે મુનિ' કહેવાય છે, અને જે સુંદર વ્રતોને ધારણ કરે છે તે સુવ્રત કહેવાય છે. જે મુનિ હોવાની સાથે સુવતી હોય છે, તે મુનિસુવ્રત કહેવાયા. વિશેષ અર્થ: ભગવાન જ્યારે માતાના ગર્ભમાં આવ્યા તે પછી માતા સુંદર વ્રતસંપન્ન બન્યાં હતાં. એટલા માટે પુત્રનું નામ મુનિસુવત' રાખવામાં આવ્યું હતું. ૨૧. નમિ : સામાન્ય અર્થ : પરીષહ - ઉપસર્ગોને નમાવનારા “નમિ' કહેવાય. વિશેષ અર્થ: સીમાવર્તી રાજાઓએ ભગવાનના પિતાના નગરને ઘેરો ઘાલ્યો હતો, ભગવાન માતાના ગર્ભમાં આવ્યા હતા. માતાને મહેલની અટ્ટાલિકા ઉપર ચડવાની ઇચ્છા થઈ. તેઓ ચડ્યાં. દુમન રાજાઓએ રાણીને જોઈ. ગર્ભના પ્રભાવથી શત્રુ રાજાઓએ ઘેરો ઉઠાવી લીધો અને ચાલ્યા ગયા. શત્રુ રાજાઓને નમાવ્યા એટલા માટે પુત્રનું નામ નિમિ' રાખવામાં આવ્યું. ૨૨. નેમિઃ સામાન્ય અર્થઃ ધર્મરૂપી ચક્રમાં નેમિ. - ચક્રમાં જે રીતે નેમિ (આરા) હોય છે એ રીતે વિશેષ અર્થ: ભગવાન જ્યારે માતાના ગર્ભમાં આવ્યા તે પછી માતાએ ‘રિષ્ટ' રત્નમય ચક્રની નેમિને ઊડતી સ્વપ્નમાં જોઈ હતી. એટલા માટે પુત્રનું નામ અરિષ્ટનેમિ' રાખવામાં આવ્યું હતું. (રિષ્ટ' શબ્દ અમંગલ છે તેથી રિષ્ટની પૂર્વે “અ” જોડી દેવામાં આવ્યો છે.) ૨૩. પાર્થ : સામાન્ય અર્થ સર્વ ભાવોને જે જુએ છે તે “પાર્થ” કહેવાય છે. વિશેષ અર્થ: ભગવાન જ્યારે માતાના ગર્ભમાં આવ્યા તે પછી માતાએ એક દિવસે અંધકારમાં પાસે જ સર્પ જોયો એટલા માટે પુત્રનું નામ “પાર્થ” રાખ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004543
Book TitleShravaka Jivan Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy