SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ ૩ ૧૩ વિમલ : સામાન્ય અર્થ : જેમના મળ ચાલ્યા ગયા તે વિમલ’ કહેવાયા; અથવા જેમનાં જ્ઞાનાદિ નિર્મળ હોય, તે વિમળ કહેવાય છે. વિશેષ અર્થ : ભગવાનના માતાના ગર્ભમાં આવ્યા બાદ માતાનું શરીર અને મન અતિનિર્મલ બન્યાં એટલા માટે તેઓ ‘વિમલ' કહેવાયા. ૧૪. અનંત : સામાન્ય અર્થ અનંત કર્મોને જેમણે જીત્યાં તે ‘અનંત’ કહેવાયા, અથવા જેમનાં અનંત જ્ઞાનાદિ ગુણ છે, તે ‘અનંત’ કહેવાય છે. વિશેષ અર્થ ઃ ભગવાનના માતાના ગર્ભમાં આવ્યા તે પછી માતાએ સ્વપ્નમાં અનંત રત્નમય માળાઓ જોઈ હતી, એટલા માટે પુત્રનું નામ ‘અનંત’ રાખવામાં આવ્યું. ૧૫. ધર્મ સામાન્ય અર્થ દુર્ગંતમાં પડતા જીવોને ધારણ કરે, પડવા ન દે, તે 'ધર્મ' કહેવાય છે. વિશેષ અર્થ ઃ ભગવાન માતાના ગર્ભમાં આવ્યા તે પછી માતા વિશેષ પ્રકારે દાન, દયા, આદિ ધર્મનું પાલન કરનારી બની હતી, એટલા માટે પુત્રનું નામ ધર્મ' રાખ્યું હતું. ૧૬. શાન્તિઃ ૨૨૧ સામાન્ય અર્થ : શાન્તિ પ્રાપ્ત કરાવનારા, અથવા શાન્તિ સ્વરૂપ હોય તે શાન્તિ કહેવાય છે. વિશેષ અર્થ ઃ ભગવાન જ્યારે માતાના ગર્ભમાં આવ્યા ત્યારે દેશમાં ફેલાયેલો મરકીનો ઉપદ્રવ શાન્ત થઈ ગયો હતો, એટલા માટે પુત્રનું નામ ‘શાન્તિ’ રાખ્યું હતું. ૧૭. કુંથુ સામાન્ય અર્થ ‘કુ’ એટલે પૃથ્વી, એમાં રહેનારા ‘કુંથુ’ કહેવાયા. વિશેષ અર્થ : ભગવાન માતાના ગર્ભમાં આવ્યા બાદ માતાએ સ્વપ્નમાં ઉચ્ચ મહાપ્રદેશમાં રહેલો રત્નમય સ્તૂપ જોયો હતો. એટલા માટે પુત્રનું નામ ‘કુંથુ’ રાખવામાં આવ્યું હતું. ૧૮. અર : સામાન્ય અર્થ : અરનો અર્થ થાય છે સર્વોત્તમ. મહાસત્ત્વશાળી કુળમાં પેદા થાય છે અને કુળની અભિવૃદ્ધિ કરવામાં જે નિમિત્ત બને છે તે. વિશેષ અર્થ : ભગવાનના માતાના ગર્ભમાં આગમન બાદ માતાએ સ્વપ્નમાં સર્વ રત્નમય અતિ સુંદર મોટી આકૃતિનાં ચક્રના આરા જોયા હતા. એટલા માટે પુત્રનું નામ ‘અર’ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004543
Book TitleShravaka Jivan Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy