________________
ભાગ ૩
નામોનો સામાન્ય તેમજ વિશેષ અર્થ :
૨૪ તીર્થંકરોનાં નામોનો સામાન્ય અને વિશેષ અર્થ સાંભળી લો, સમજી લો અને સ્મૃતિમાં સંઘરી રાખો !
૧. ઋષભ :
સામાન્ય અર્થ : જે પરમ પદ તરફ ગમન કરે છે તે ઋષભ' કહેવાય છે. આ નામનો બીજો વિકલ્પ છે ‘વૃષભ’. દુઃખથી બળેલી દુનિયા ઉપર જે દેશના-જળનું વર્ષણ કરે, સિંચન કરે તે ‘વૃષભ‘ કહેવાય છે. વિશેષ અર્થ : જેમની બંને સાથળ ઉપર ‘વૃષભ’નું ચિહ્ન હતું તે ‘વૃષભ.’
૨. અજિત :
સામાન્ય અર્થ : જે પરીષહ અને ઉપસર્ગોથી જીતાયા નથી તે ‘અજિત’ કહેવાય. વિશેષ અર્થઃ તીર્થંક૨ માતાના ગર્ભમાં આવ્યા પછી ધૂતક્રીડામાં માતાને પિતા જીતી ન શક્યા; એટલા માટે પુત્રનું નામ “અજિત’ રાખ્યું.
૩. સંભવ :
૨૧૯
સામાન્ય
અર્થ જેમનામાં ૩૪ અતિશયો પ્રકટ થયા તે ‘સંભવ’ કહેવાયા. વિશેષ અર્થ : ભગવંત માતાના ગર્ભમાં આવ્યા બાદ દેશમાં અધિકાધિક ધાન્ય પેદા થયું; એટલા માટે ‘સંભવ’ નામ પડ્યું.
૪. અભિનંદન :
સામાન્ય અર્થ : દેવેન્દ્ર વગેરે દ્વારા જેમનું અભિવાદન કરવામાં આવ્યું, તે ‘અભિનંદન’ કહેવાયા. વિશેષ અર્થઃ ભગવાન માતાના ગર્ભમાં આવ્યા બાદ શક્રેન્કે વારંવાર આવીને માતાપુત્રને અભિનંદન આપ્યાં હતાં.
૫. સુમતિ :
સામાન્ય અર્થ : જેમની મતિ સુંદર છે તે ‘સુમતિ' વિશેષ અર્થઃ ભગવાન માતાના ગર્ભમાં આવ્યા તે પછી બધા અનિર્ણય કરવામાં માતા મતિસંપન્ન બની હતી અને બે શોક્યોનું સમાધાન કર્યું હતું.
૬. પદ્મપ્રભ :
સામાન્ય અર્થ : પદ્મ (કમળ) જેવી જેમની દેહપ્રભા હતી, તે ‘પદ્મપ્રભ’ કહેવાયા. વિશેષ અર્થ : ભગવાન માતાના ગર્ભમાં આવ્યા બાદ માતાને કમળની શય્યામાં સૂવાની ઇચ્છા થઈ, દોહદ થયો અને દેવેન્દ્રે તેમની ઇચ્છા પૂર્ણ કરી હતી. એટલા માટે ભગવાનનું નામ પદ્મપ્રભ' પડ્યું. ભગવાનની દેહપ્રભા પણ પદ્મ જેવી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org