________________
૨૧૮
શ્રાવકજીવન કરવા માટે જ કેવલી' શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે.
જેઓ છદ્મસ્થ અવસ્થામાં હોય છે તેવા જિનાનો અહીં આ લોગસ્સ સૂત્રમાં સમાવેશ નથી. એ વાત કેવળી' શબ્દથી ફલિત થાય છે.
એવી રીતે નામ-જિન, સ્થાપના-જિન, દ્રવ્ય-જિન અને ભાવ-જિન હોય છે. આ સૂત્રમાં ભાવ-જિન જ પ્રસ્તુત છે, અન્ય ત્રણ જિન નહીં. આ સૂચિત કરવા માટે કેવલી' શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ સમાધાન “ચેત્યવંદન ભાષ્ય' નામના ગ્રંથમાં મળે છે.
આ રીતે પ્રથમ ગાથાનું વિશેષ વિવેચન પૂર્ણ કરીને ર-૩-૪ ગાથાઓનો વિશેષ અર્થ કરું છું. उसभमजिअं च वंदे, संभवमभिणंदणं च सुमईं च । पउमप्यहं सुपासं, जिणं च चंदप्पहं वंदे ॥२॥ सुविहिं च पुप्फदंतं, सीअल-सिज्जंस वासुपुज्जं च । विमलमणंतं च जिणं, धम्म संति च वंदामि ॥३॥ कुंथु अरं च मल्लि, वंदे मुणिसुव्वयं नमिजिणं च । वंदामि रिट्ठनेमिं, पासं तह वद्धमाणं च ।।
ત્રણ ગાથાઓમાં ૨૪ તીર્થકર ભગવંતોનાં નામ દેવામાં આવ્યાં છે. આ નામોનાં સામાન્ય તેમજ વિશેષ અર્થ બતાવતા પહેલાં કેટલીક વિશેષ વાતો પહેલાં બતાવી દઉં છું.
પહેલી વાત છે ઋષભદેવ ભગવાનની. આમ તો દરેક તીર્થંકરની એક જ જાંઘ ઉપર લાંછન (એક વિશિષ્ટ ચિહ્ન) હોય છે. પરંતુ ઋષભદેવની બંને જાંઘ ઉપર ‘વૃષભ'નું લાંછન હતું. તપેલા સોના જેવું ઉજ્વળ એ લાંછન હતું.
બીજી વાત પણ ભગવાન ઋષભદેવની જ છે. જેમ દરેક તીર્થંકરની માતા, તીર્થકર જ્યારે ગર્ભમાં આવે છે, ત્યારે ૧૪ મહાસ્વપ્ન જુએ છે, એમાં પ્રથમ સ્વપ્ન હાથીનું હોય છે. જ્યારે ઋષભદેવની માતા મરુદેવાએ પ્રથમ સ્વપ્ન વૃષભનું જોયું હતું. એટલા માટે ઇન્દ્ર તેમનું નામ ઋષભદેવ” રાખ્યું હતું.
ત્રીજી વાત છે ચ”ની. આ ગાથાઓમાં “ચ” નો પ્રયોગ ૧૧ વાર કરવામાં આવ્યો છે. ૧૦“ચ” નો અર્થ “અને' તથા એક “ચ” નો પ્રયોગ ‘અથવાના અર્થમાં કરવામાં આવ્યો છે. “સુવિહિંચ પુખુદતમાં જે “ચ” આવ્યો છે, તેનો અર્થ છે અથવા. બાકીના ૧૦ “ચનો અર્થ છે “અને.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org