________________
૨૧૬
પછી ત્રણેનો સમૂહ-અર્થ બતાવીશ. પહેલાં આપણે ધર્મ’ શબ્દ પર ચિંતન કરીએ. ‘લલિત વિસ્તરામાં ધર્મ'ની વ્યાખ્યા આ પ્રકારે કરવામાં આવી છે ઃ दुर्गति-प्रसूतान् जीवान् यस्माद्धारयते તતઃ I धत्ते चैतान् शुभे स्थाने तस्माद्धर्म इति स्मृतः ॥ દુર્ગંતમાં પડતા જીવોને રોકીને એમને શુભ સ્થાનમાં સ્થાપિત કરે છે, તે ‘ધર્મ’ કહેવાય છે.
શ્રાવકજીવન
બીજો શબ્દ છે ‘તીર્થ' તીર્થ શબ્દની વ્યુત્પત્તિ આ રીતે કરવામાં આવી છે ઃ તીતેનેન કૃતિ તીર્થમ્। જેના દ્વારા તરી જવાય તે તીર્થ ! આમ તો તીર્થના અનેક પ્રકારો છે - નામતીર્થ સ્થાપનાતીર્થ, દ્રવ્યતીર્થ, ભાવતીર્થ, પ્રસ્તુતમાં ‘ધર્મતીર્થ’ શબ્દ હોવાથી ભાવતીર્થ જ અહીં સમજવાનું છે. ભાવતીર્થનો આશ્રય લેનાર ભવ્ય જીવ ભવસાગરને અવશ્ય તરી જાય છે. તેને ફરી તરવું પડતું નથી.
તીર્થંકર પરમાત્મા ધર્મતીર્થ'ના સ્થાપનારા હોય છે. એમનો સ્વભાવ જ ધર્મતીર્થનું પ્રવર્તન કરવાનો હોય છે. એટલા માટે યોગશાસ્ત્રની સ્વોપશટીકામાં ધમ્મતિત્યયરે’નો અર્થ આ રીતે આપવામાં આવ્યો છે ઃ
દેવ, મનુષ્ય અને અસુર-સહિત પર્ષદામાં સર્વ જીવ પોતપોતાની ભાષામાં સમજી શકે એવી ભાષામાં, એવી વાણીમાં ધર્મતીર્થ' પ્રવર્તન કરનારાઓને હવે આપણે ‘ધમ્મતિથ્થરે' પદનો અર્થ નિર્ણય કરીએ છીએ :
L
દુર્ગાતમાં પડતા જીવોને રોકીને તેમને સન્માર્ગે સ્થાપિત કરનારા અને સંસાર સાગરમાંથી પાર ઉતારનારા ધર્મના તીર્થના, સર્વ ભાષાઓમાં સમજી શકાય એવી અતિશય વાણીથી પ્રવર્તન ક૨વાના સ્વભાવવાળા.’
જિણે ઃ
હવે રહ્યો ‘જિન' શબ્દ પહેલાં તેના ભિન્નભિન્ન અર્થ બતાવું છું : * જેમણે ક્રોધ, માન, માયા, લોભને જિત્યા છે, તેઓ ‘જિન’ છે.
* જેમણે રાગદ્વેષ, કષાય, ઇન્દ્રિય, પરીષહ, ઉપસર્ગ અને આઠ પ્રકારનાં કર્મોને જિત્યા છે, તે ‘જિન' છે.
* જેમણે રાગ-દ્વેષ અને મોહને જિત્યા છે, તે જિન’ છે. આ રીતે ‘જિજ્ઞે’નો અર્થ રાગ-દ્વેષ, કષાય, ઇન્દ્રિય, પરીષહ-ઉપસર્ગ અને આઠ પ્રકારનાં કર્મોને જિતનારા ‘જિન’ છે, તેમને.....
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org