SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ ૩ ૧. ધર્માસ્તિકાય. ૨. અધર્માસ્તિકાય. ૩. આકાશાસ્તિકાય. . ૪. પુદ્ગલાસ્તિકાય. ૫. જીવાસ્તિકાય. પંચાસ્તિકાયનાં પાંચ નામ યાદ કરી લેવાનાં. હવે એક એક અસ્તિકાયનો સંક્ષિપ્ત પરિચય આપું છું. વાસ્તવમાં તો આ અધ્યયનનો વિષય છે. માત્ર સાંભળવાથી, અને તે પણ એક વાર ! બોધ સ્પષ્ટ નહીં થાય. આ વિષયોનું અધ્યયન કરવું જોઈએ. પહેલાં હું ધર્માસ્તિકાય સમજાવું છું. ધર્માસ્તિકાય : ૨૧૩ જીવ અને પુદ્ગલની ગતિમાં આ ‘ધર્મસ્તિકાય' નામનું અરૂપી દ્રવ્ય સહાયક બને છે, જે રીતે માછલીને ત૨વામાં પાણી સહાયક બને છે એ રીતે ! માછલીમાં તરવાની શક્તિ છે, પાણી માત્ર સહાય કરે છે. એ રીતે જીવ અને પુદ્ગલમાં ગતિ કરવાની શક્તિ છે, પરંતુ ધસ્તિકાય' માત્ર સહાયક બને છે. અધર્માસ્તિકાય : જીવ અને પુદ્ગલને સ્થિર કરવામાં આ ‘અધર્માસ્તિકાય' નામે અરૂપી દ્રવ્ય સહાયક બને છે. જે રીતે મનુષ્યને સ્થિર રહેવામાં શય્યા, આસન આદિ સહાયક બને છે, એ જ રીતે અધર્માસ્તિકાય જીવ અને પુદ્ગલને સ્થિર રહેવામાં સહાયક બને છે. આકાશાસ્તિકાય : આકાશાસ્તિકાય બાકીનાં ચાર દ્રવ્યોને પોતાનામાં સ્થાન આપે છે, અવકાશ આપે છે. આકાશાસ્તિકાય એક અને અખંડ છે, છતાં પણ વ્યવહારથી એના બે ભાગ કરવામાં આવ્યા છે ઃ ૧. લોકકાશ. ૨. અલોકાકાશ. જે આકાશમાં જીવ અને પુદ્ગલ ગતિ-સ્થિતિ કરી શકે છે, એ આકાશને ‘લોકાકાશ’ કહેવાય છે. અને જ્યાં આકાશ સિવાય કશું જ નથી, તેને ‘અલોકાકાશ’ કહે છે. પુદ્ગલાસ્તિકાય : વધવું અને ઘટવું - એ પુદ્ગલનો સ્વભાવ છે. પુદ્ગલમાં વર્ણ, ગંધ, રસ, શબ્દ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004543
Book TitleShravaka Jivan Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy