________________
(પ્રવચન : ૬૬)
પરમ કૃપાનિધિ, મહાન મૃતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ધર્મબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવકજીવનની દિનચર્યામાં નાનાવિવિતન નો સમાવેશ કર્યો છે. આ નમસ્કાર મહામંત્ર આદિનું ચિંતન માનસિક ધર્મ-આરાધના છે. ચિત્તની શુદ્ધિ માનસિક ધર્મ-આરાધનાથી થાય છે. ચિત્તશુદ્ધિથી કર્મનિર્જરા થાય છે. કર્મનિર્જરાથી જ મુક્તિ થાય છે આત્માની. લોગસ્સ સૂત્ર'નું ચિંતન કરો:
એટલા માટે ગ્રંથકારે નમસ્કાર મહામંત્ર આદિ સૂત્રોનું ચિંતન કરવાની પ્રેરણા આપી છે. “આદિ શબ્દથી લોગસ્સ સૂત્ર, ઉવસગ્ગહર સૂત્ર', “નમોત્થણે સૂત્ર આદિ સૂત્રો ઉપર ચિંતન કરવું જોઈએ.
કાલે મેં તમને લોગસ્સ સૂત્રના વિષયમાં સંક્ષિપ્ત જાણકારી આપી હતી. આજે કંઈક વિસ્તારથી જાણકારી આપવા ઈચ્છું . તમે એક એક વાતને સમજવા પ્રયત્ન કરજો. વિષયને બને તેટલો સરળ રીતે સમજાવવા પ્રયત્ન કરું છું. છતાં પણ શાસ્ત્રીય વિષય હોવાથી તમને લોકોને સમજવામાં કંઈક પરેશાની તો થશે જ.
મેં તમને કહ્યું છે કે જે વાત તમે સમજી ન શકો તો અન્ય સમયે મારી પાસે આવીને પૂછી શકો છે.
અમને તો કશું સમજાતું નથી એવું માનીને વિષયની ઉપેક્ષા કરવાની નથી. નિરાશ ન થવું. તમે લોકો બુદ્ધિશાળી છો; તમારાં બાળકો પણ બુદ્ધિશાળી છે ! પહેલી ગાથા :
लोगस्स उज्जोअगरे धम्मतित्थयरे जिणे । अरिहंते कित्तइस्सं
चउवीसं पि केवली ॥१॥ આ ગાથાના પ્રથમ પાદમાં પહેલું પદ છે “લોગસ્સ. એનો અર્થ છે લોકના લોક શબ્દ અહીં પારિભાષિક છે. એનો અર્થ 'પંતિયાત્મજ રોડ સમજવાનો છે. .
આ લોકમાં પાંચ “અસ્તિકાય છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org