________________
૨૧૧
ભાગ ૩
મંત્રશાસ્ત્રમાં જેને લયયોગ કહે છે, એની સિદ્ધિ લોગસ્સ સૂત્રનો સહારો લેવાથી સહજ થઈ જાય છે. આપત્તિના સમયે કાયોત્સર્ગઃ
સંઘ ઉપર યા તીર્થ ઉપર કોઈ ઉપદ્રવ હોય તો અથવા બીજું કોઈ વિશિષ્ટ પ્રયોજન ઉપસ્થિત થતાં સંઘે મળીને શાસનદેવતાની આરાધના કરવી જોઈએ. એ આરાધનામાં કાયોત્સર્ગ કરવાનું વિધાન છે. કાયોત્સર્ગમાં મુખ્યતયા “લોગસ્સ સૂત્ર'નો જ ઉપયોગ કરવામાં આવે છે. કર્મક્ષય માટે લોગસ્સ સૂત્રનો કાઉસ્સગ્ગઃ * કર્મક્ષય માટે સાધુ-સાધ્વી તેમ જ શ્રાવક-શ્રાવિકાએ પ્રતિદિન ૧૦ યા ર૦
લોગસ્સનો કાયોત્સર્ગ કરવાનું વિધાન છે. * ઉપધાન તપમાં આરાધકે પ્રતિદિન ૧૦૦ લોગસ્સ સૂત્રનો કાયોત્સર્ગ કરવાનો
હોય છે. * પંચમી, એકાદશી, નવપદ, ૨૦ સ્થાનક આદિની આરાધનામાં પણ લોગસ્સ સૂત્રનો કાયોત્સર્ગ કરવામાં આવે છે.
આ રીતે જિનશાસનની આરાધનાઓમાં શ્રી નવકાર મંત્રની જેમ લોગસ્સ સૂત્રની આરાધના પણ વ્યાપક છે.
આજે બસ, આટલું જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org