________________
શ્રાવકજીવનું.
૨૧૦
૪. શુભાશયની વૃદ્ધિ થાય છે અને ૫. સાનુબંધ શુભાનુષ્ઠાનની પ્રાપ્તિ થાય છે.
આ વાતો કેવી રીતે બને છે તે સાંભળી લો : * જિન પ્રવચનની આરાધના એટલે કે ઉપકારીના ઉપકારની અખંડ સ્મૃતિ રહે
છે.
* સન્માર્ગની વૃઢતા એટલે કે મોક્ષસાધક અનુષ્ઠાનોમાં ઉત્સાહ. * કર્તવ્યતાનો નિર્ણય એટલે કે “તીર્થકરોની ભક્તિ જમારું કર્તવ્ય છે એવો નિર્ણય. * શુભ આશયની વૃદ્ધિ એટલે કે અંતઃકરણની પ્રશસ્તતા. * સાનુબંધ શુભાનુષ્ઠાનની પ્રાપ્તિ એટલે કે જ્યાં સુધી મુક્તિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પ્રત્યેક ભવમાં સદનુષ્ઠાનની પ્રાપ્તિ.
આ પાંચ બાબતો ઉત્તરોત્તર અધિક-અધિકતર પ્રશસ્તભાવ પેદા કરે છે અને વિપુલ કમનિર્જરી કરાવે છે.
મહત્ત્વની એક વાત સાંભળી લો. તીર્થકરોના પ્રભાવથી પ્રાપ્ત થનારી વસ્તુઓ માત્ર પોતાના પ્રયત્નથી પ્રાપ્ત થાય છે, એવું માની લેવાથી તીવ્ર પાપકર્મ બંધાય
તીર્થકરની સ્તવનામાં જેવી રીતે સમ્યક્ત આદિની આરાધના છે, એવી રીતે તેમના વિસ્મરણથી મિથ્યાત્વ આદિ કર્મબંધના પાંચ હેતુઓનું વડું ઓછું સેવન થાય છે. એટલા માટે કર્મબંધના હેતુઓથી બચવું હોય અને કર્મક્ષયના હેતુઓનું સેવન કરવું હોય, તો તીર્થકરોની સ્તુતિ વારંવાર કર્યા કરવી. એનાથી મિથ્યાભિમાનનો નાશ થશે અને તીર્થકરોના લોકોત્તર વિનયગુણનું પાલન થશે.
લોગસ્સ સૂત્રોનું ચિંતન-મનન કરવા માટે અન્ય અનેક વિષયો છે. એક-બે વાતો કહીને પ્રવચન સંપૂર્ણ કરીશ. પ્રતિક્રમણમાં લોગસ્સ સૂત્ર :
દેવસિક, રાત્રિક, પાક્ષિક, ચાતુમાસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણોમાં જે કાયોત્સર્ગ કરવામાં આવે છે, એ કાયોત્સર્ગમાં લોગસ્સ સૂત્રનો ઉપયોગ થાય છે. પાયસમા ઉસાસા'- એવું કહીને પૂર્વાચાર્યોએ લોગસ્સ સૂત્ર'ના એક એક પાદમાં શ્વાસોશ્વાસની ગતિને નિયમિત કરવાનું સામર્થ્ય રહેલું છે. એ વાતનો સ્વીકાર કર્યો છે. કાયોત્સર્ગમાં લોગસ્સ સૂત્રનો જાપ કરવાથી સ્ત્રના અક્ષરો પ્રાણની સાથે એકરૂપ થઈ જાય છે અને શ્વાસોચ્છુવાસની ગતિ નિયમબદ્ધ થવા માંડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org