SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ ૩ ૨૦૯ મહત્તા છે. એ રીતે ગંભીરતા, વિશાળતા અને ગહનતાની દૃષ્ટિએ સમુદ્રનું મહત્ત્વ છે. આ સૂત્રમાં તીર્થંકરોની જે નામ દઈને સ્તુતિ કરવામાં આવી છે, એ તીર્થંકરોનાં ચરિત્રો ચંદ્ર કરતાંય વધારે નિર્મળ છે. એમનું જ્ઞાન સૂર્યપ્રકાશ કરતાં પણ વધારે પ્રકાશવાળું છે અને એમનાં નામનું ગાંભીર્ય સમુદ્ર ક૨તાંય વધારે છે. આ ઉપમાઓથી આગળ વધીને સાહિત્યમાં અન્ય ઉપમાઓ મળવી દુર્લભ છે. આવી ઉત્તમ ઉપમાઓથી શોભાયમાન સિદ્ધિપ્રાપ્ત અને અષ્ટકર્મોથી મુક્ત તીર્થંકરોની સ્તુતિ આ સાતમી ગાથામાં કરવામાં આવી છે. આ સ્તુતિ સિદ્ધિગતિની પ્રાપ્તિની પ્રબળ ઇચ્છારૂપે ક૨વામાં આવી છે. ‘સિદ્ધિગતિને પ્રાપ્ત કરનારા તીર્થંકરોમાં તેમની સ્તુતિ કરનારાઓને સિદ્ધિ આપવાનું સામર્થ્ય છે જ.’ એ વાતનો, એ સત્યનો સ્વીકાર કરીને જ આ સ્તુતિ કરવામાં આવી છે. એનાથી એ ફલિત થાય છે કે સ્તુતિ કરનારાના હૃદયમાં મોક્ષપ્રાપ્તિની પ્રબળ ભાવના રહેલી છે. ‘જે વ્યક્તિમાં જે ગુણ સિદ્ધ થયેલો હોય છે એનામાં એ ગુણ બીજાંને પ્રાપ્ત કરાવવાનું સામર્થ્ય હોય છે.' આ નિયમનું અહીં પ્રતિપાદન થયેલું છે. મોક્ષમાર્ગમાં તીર્થંકરોનું આલંબન - પ્રકૃષ્ટ આલંબન માનવામાં આવ્યું છે. જેને જે ગુણ સિદ્ધ થયો હોય, એ ગુણ પામવા માટે એને આલંબન બનાવવામાં આવે તો એ આલંબન ‘પુષ્ટાલંબન’ બની જાય છે. તીર્થંકર ભગવંતનો પ્રભાવ માનવો જ જોઈએ : ૫-૬-૭ ગાથાઓ અતિ મહત્ત્વપૂર્ણ છે. એમાં ચિત્તની શુદ્ધિ અને આશયની ઉદારતા માટે તીર્થંકરોની પ્રાર્થના છે. આ પ્રાર્થના આરાધના સ્વરૂપ છે, તીર્થંકરોના ધ્યાનથી આરોગ્ય, બોધિ, સમાધિ અને સિદ્ધિ મળે જ છે, અને અન્ય પ્રકારથી પ્રાપ્ત થવી અસંભવ હોય તો પછી આ બાબતોની યાચના તીર્થંકર પાસે ન કરવી, એમાં આરાધના નથી પરંતુ વિરાધના છે. ઉપકારીના ઉપકારનું વિસ્મરણ થવું એ વિરાધના છે. ‘જે વસ્તુ જેના ધ્યાનથી મળે છે, તે વસ્તુ તેઓ જ આપે છે' - એમ માનવું યુક્તિયુક્ત છે. એવું માનવાથી : ૧. જિન-પ્રવચનની આરાધના થાય છે. ૨. સન્માર્ગમાં દૃઢતા આવે છે. ૩. કર્તવ્યતાનો નિર્ણય થાય છે. Jain Eucation International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004543
Book TitleShravaka Jivan Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy