SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ શ્રાવકજીવન તીર્થંકર વીતરાગ હોવાથી ન પ્રસન્ન થાય છે, ન તો નારાજ થાય છે. એમ માનીને તીર્થંકરમાં તેમની સ્તુતિ કરનારાઓની ઇષ્ટ સિદ્ધિ ક૨વાનું સામર્થ્ય નથી,’ એવો અર્થ કરવો ઉચિત નથી. વસ્તુનો પોતપોતાનો સ્વભાવ હોય છે. દરેક વસ્તુ પોતાના સ્વભાવ અનુસાર કાર્ય કરે છે, તો પછી તીર્થંકર પરમાત્મા કે જેઓ સર્વોત્તમ પરમ વસ્તુ સ્વરૂપ છે, તેઓ પોતાનું કાર્ય કેમ ન કરે? અવશ્ય કરે છે. તીર્થંકરોનું મુખ્ય કાર્ય ભવ્ય જીવોને રાગદ્વેષથી મુક્ત કરીને તેમને ભવસાગરથી પાર કરવાનું છે. એ કાર્ય તીર્થંકરોની સ્તુતિ-ભક્તિથી નથી ધતું, પરંતુ સ્તોતવ્યપરમાત્માના પ્રભાવથી જ થાય છે, એમ માનવું જોઈએ. જે રીતે મંત્ર વગેરેની ઉપાસનાથી જે ફળપ્રાપ્તિ થાય છે તેમાં ‘આ મંત્રના પ્રભાવથી મને ઇષ્ટ ફળ મળ્યું,’ એવું માનવામાં આવે છે. એ જ રીતે તીર્થંકર પરમાત્માનો સ્વયંનો એવો અચિંત્ય પ્રભાવ છે કે જેથી સ્તુતિ કરનારાઓને ઇષ્ટ ફળની સિદ્ધિ થાય છે. આરોગ્ય-બોધિલાભ-ઉત્કૃષ્ટ સમાધિ : ‘લોગસ્સ સૂત્ર’ની છઠ્ઠી ગાથામાં કહેવામાં આવ્યું છે કે ઃ “મેં નામ દ્વારા ભગવાનનું કીર્તન કર્યું; મન, વચન, કાયાથી વંદન કર્યું. એનાં ફળ સ્વરૂપે મને દ્રવ્ય આરોગ્ય અને ભાવ-આરોગ્ય, જિનધર્મની પ્રાપ્તિરૂપ બોધિ અને ઉત્કૃષ્ટ ભાવસમાધિ આપનાર (અરિહંત) હજો.' આ પણ પ્રાર્થનારૂપ પ્રણિધાન જ છે. કોઈ પણ પ્રવૃત્તિની સફળતાનો આધાર સંકલ્પબળ છે. સંકલ્પરહિત ક્રિયા ફળ આપતી નથી. આ સૂત્રમાં ભગવાનની સ્તુતિ દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો છે. એ સંકલ્પની પૂર્તિ - ‘ભગવાનના સામર્થ્યથી મને પ્રાપ્ત થાઓ’ એવી ભાવના પ્રકટ કરવામાં આવી છે. મોક્ષમાર્ગની આરાધનામાં અતીવ ઉપયોગી એવી ત્રણ વાતો આ એક ગાથામાં સંગૃહીત કરવામાં આવી છે. સંપૂર્ણ ભાવ-આરોગ્ય મોક્ષમાં હોય છે. એનો હેતુ ભાવસમાધિ છે. ભાવસમાધિનો હેતુ બોધિલાભ છે ! આ ત્રણેની સિદ્ધિ તીર્થંકર પરમાત્માના અનુગ્રહથી જ થાય છે. જ્યાં સુધી સિદ્ધિ-ગતિ પ્રાપ્ત થતી નથી ત્યાં સુધી પ્રત્યેક જન્મમાં સિદ્ધિમાં સાધનભૂત દ્રવ્ય આરોગ્ય, ભાવ-આરોગ્ય, બોધિલાભ તેમજ સમાધિ પ્રાપ્ત થતી રહે છે. ભગવાનની પ્રાર્થનાથી આ વસ્તુઓ પ્રાપ્ત થાય છે. એટલા માટે “ભગવાન જ એના દાતા છે,’ એવો વાણીપ્રયોગ થઈ શકે છે. ચંદ્ર-સૂર્ય અને સાગર : લોગસ્સ સૂત્રની સાતમી અને અંતિમ ગાથા વિશિષ્ટ મહત્ત્વ ધરાવે છે. તાંત્રિક દૃષ્ટિએ પણ તેનું વિશેષ મહત્ત્વ છે. પ્રકાશક પદાર્થોમાં ચંદ્ર અને સૂર્યની વિશેષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004543
Book TitleShravaka Jivan Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy