________________
૨૦૭
ભાગ ૩ તંત્રશાસ્ત્રીની દ્રષ્ટિએ પણ અધિક મહત્ત્વ ધરાવે છે. બીજી ગાથામાં ૧૨ બિંદુ ત્રીજી ગાથામાં ૧૨ બિંદુ અને ચોથી ગાથામાં ૧૧ બિંદુઓ આવેલાં છે. બધાં મળીને ત્રણે ગાથાઓમાં ૩પ બિંદુઓ રહેલાં છે.
‘મંત્રશાસ્ત્રમાં બિંદુ મહત્ત્વનું માનવામાં આવ્યું છે. ‘નાદ અને કલા બિંદુની સુક્ષ્મ અવસ્થાઓ છે. તંત્રશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે પરમાત્માનાં નામનો ઉચ્ચાર બિંદુસહિત કરવામાં આવે છે, ત્યારે તે સાધકની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે અને મોક્ષ પણ આપે છે.”
“લોગસ્સ સૂત્ર' શ્રુતકેવલી ગણધર ભગવંતોની રચના હોવાથી એમાં મંત્ર, તંત્ર, વિદ્યા અને સિદ્ધિઓ હોઈ શકે છે, એ વાત તમે સમજી શકો છો.
'થપ્પોમામુäિ ગાથાથી પ્રારંભ પામતું દશવૈકાલિક સૂત્રના પ્રારંભિક મંગલમાં પણ મંત્રમયતા રહેલી છે. એનું વિધિપૂર્વક ઉચ્ચારણાદિ કરવાથી રસસિદ્ધિ, સુવર્ણસિદ્ધિ, વગેરે સિદ્ધિઓ ઉત્પન્ન થાય છે. એ વાત મંત્રવિદ્ વિદ્વાનો જાણે છે.
લોગસ્સ સૂત્ર'ની પ-૬-૭ ગાથાઓ પ્રણિધાન સ્વરૂપ છે. આ ત્રણ ગાથાઓ ‘લોગસ્સ સૂત્રની ચૂલિકા માનવામાં આવી છે. ચિત્ત-શુદ્ધિ માટે પ્રણિધાન મહત્ત્વપૂર્ણ છે. જે ક્રિયા પ્રણિધાનપૂર્વક થાય છે, તે તીવ્ર વિપાક એટલે કે ઉત્કૃષ્ટ ફળ આપનારી હોય છે. પ્રણિધાન ક્રિયાને, અનુષ્ઠાનને સાનુબંધ’ બનાવે છે. “શ્રી પંચસૂત્ર'ની ટીકામાં આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ લખ્યું છે ?
प्रणिधानकृतं कर्म मतं तीव्रविपाकवत् ।
सानुबन्धत्वनियमात् शुभांशाच्चैतदेव तत् ।। શુભ અનુષ્ઠાન ‘સાનુબંધ' બનવાથી નિવણિ સુધી તે અનુષ્ઠાન પોતાનું ફળ આપે છે.
૨૪ તીર્થકરોની સાથે સાથે સર્વ તીર્થકરોની સ્તુતિ કર્યા બાદ “તીર્થકર મારી ઉપર પ્રસન્ન થાઓ ! મને આરોગ્ય તેમજ બોધિલાભ તથા ઉત્કૃષ્ટ સમાધિ આપનારા બનો. પરમ પદરૂપ મોક્ષ આપનારા બનો.' એ રીતે સ્તુતિ કરવામાં આવી છે. આ સ્તુતિમાં ગંભીર રહસ્ય છુપાયેલું છે. એ વિષયમાં આચાર્યદેવશ્રી હરિભદ્રસૂરિજીએ લલિત વિસ્તરા ગ્રંથમાં ખૂબ જ સારું સ્પષ્ટીકરણ કર્યું છે.
કાર્યસિદ્ધ માટે પરમાત્માની પ્રાર્થનીયની પ્રસન્નતા, અપ્રસન્નતા ગૌણ બાબત છે, એનું સામર્થ્ય જ મુખ્ય વાત છે. જેમ અચેતન શબ્દાત્મક મંત્ર ફળ આપે છે, એકેન્દ્રિય જેવાં ચિન્તામણિ રત્ન આદિ પણ ઉપાસના દ્વારા ઈષ્ટ સિદ્ધિ આપે છે, એમાં એ વસ્તુઓનું સામર્થ્ય જ કારણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org