________________
૨૦૬
શ્રાવકજીવન
૨. સૂત્રનો ઉચ્ચાર કરતી વખતે અર્થનું ચિંતન જોઈએ. ૩. આરાધ્ય અરિહંત પરમાત્મા પ્રત્યે બહુમાન જોઈએ. ૪. સ્તવન-વંદન કરવાનો અવસર મળ્યો એટલા માટે આનંદ થવો જોઈએ. ૫. ભવ-ભ્રમણ પ્રત્યે નિર્વેદ જોઈએ. કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે લોગસ્સ સૂત્રનું સ્મરણ કરતા હો તે સમયે બીજા વિચારો ન કરવા જોઈએ. મનને અરિહંત પરમાત્મા ઉપર જ સ્થિર કરવું જોઈએ. એ રીતે પરમાત્માને વંદના કરવી જોઈએ કે જેથી મોક્ષપ્રાપ્તિમાં અનન્ય કારણભૂત થાય. શુદ્ધ ભાવવંદનાથી જીવાત્મા અર્ધ પુદ્ગલપરાવર્ત કાળમાં મોક્ષપ્રાપ્તિ કરી લે છે.
૫-૬-૭ ગાથામાં પ્રણિધાન' બતાવવામાં આવ્યું છે. પ્રણિધાન કહો, અધ્યવસાય કહો યા મનની સ્થિરતા કહો, બધું સમાન જ છે. હૃદયગત, પ્રશસ્ત ભાવનાઓ આ ત્રણ ગાથાઓમાં ભક્તિપૂર્વક પ્રદર્શિત કરવામાં આવી છે. આ ત્રણ ગાથાઓને ‘પ્રણિધાન ગાથાત્રિક' કહેવામાં આવી છે.
- પાંચમી ગાથામાં પરમાત્મા મારી ઉપર પ્રસન્ન થાઓ' એવી સ્તુતિ છે. - છકી ગાથામાં આરોગ્ય અને બોધિલાભની યાચના કરવામાં આવી છે. - સાતમી ગાથામાં પરમાત્મા પાસે સિદ્ધિની યાચના કરવામાં આવી છે.
આ રીતે તમને “લોગસ્સ સૂત્ર'નો સંક્ષિપ્ત પરિચય આપ્યો. વિશેષ પરિચય :
લોગસ્સ સૂત્ર'ની પ્રથમ ગાથામાં તીર્થકરના - અરિહંતના ચાર અતિશય નિર્દિષ્ટ છે : જ્ઞાનાતિશય, પૂજાતિશય, વચનાતિશય અને અપાયાપગમ અતિશય. આ ચાર અતિશયો છે. - ડબ્બોસા પદથી વચનાતિશય અને જ્ઞાનાતિશય ફલિત થાય છે. - 'ધર્માતિસ્થય પદથી પૂજાતિશય - વચનાતિશય ફલિત થાય છે. - 'નિ પદથી અપાયાપગમ અતિશય ફલિત થાય છે અને - 'મર પદથી પૂજાતિશય ફલિત થાય છે. – 'ત્તિકૃતં પદથી "કીર્તન કરીશ' એવી પ્રતિજ્ઞા કરવામાં આવી છે. બીજી, ત્રીજી અને ચોથી ગાથાઓમાં ૨૪ તીર્થકરોનાં નામ લઈને વંદના કરવામાં આવી છે. દરેક ગાથામાં ૮-૮ તીર્થકરોને વંદના કરવામાં આવી છે. આ ગાથાઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org